Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ-૧ : અંક ૪૬ તા. ૨૦-૭-૯૩ :
૧૩૬૫ સાગરજી મહારાજે સાથે મલીને તેને એવો મકકમ પ્રતિકાર કર્યો કે તે સુધારાને અમલ શકય ન બની શક્યા. આ સંસારની અસારતા, સંયમની સુંદરતા અને મોક્ષની મનેહરતાને સમાવતી પૂજ્યશ્રીજીના શ્રીમુખેથી આજ્ઞામૂલક શ્રી જિનવાણના શ્રવણથી અનેક આત્માઓ - ગ્યના પંથે જવા લાગ્યા, તેમાં પ્રૌઢ પણ હતા, યુવાને પણ હતા અને બાળકે પણ હતા. પૂજ્યશ્રીજીની પાસે દીક્ષિત થનારાની સંખ્યા વધવા લાગી. તેમાં પણ અમદાવાદના શાલીભદ્ર ગણાતા ગર્ભશ્રીમંત શ્રી જેશીંગભાઈ અને બાલવયસ્ક શ્રી ચીનુભાઈની દીક્ષા જે રીતના થઈ તેણે તે અમદાવાદને હિંડળે ચઢાવ્યું. અને મને પૂજયશ્રીજીના શિષ્યરતને પૂ. મુનિરાજ શ્રી જશવિજયજી મ. (પાછળથી પૂ. આ. શ્રી વિ. યશેદેવસૂરીશ્વરજી મહારાજ ) તથા પૂ. મુનિરાજ શ્રી ચારિત્રવિજયજી મ. (પાછળથી ૫. ઉપાધ્યાયજી શ્રી ચારિત્ર વિજયજી ગણિવર્યના ) ના નામે સુપ્રસિદધ થયા.
તેમાં ય પૂ. ઉપાધ્યાયજી શ્રી ચાસ્ત્રિ વિજયજી ગણિવયે દીક્ષિત થયા પછી અહ૫ સમયમાં જ વિનય–શૈયાવચ્ચ, સેવા-ભકિતથી પિતાના તારક પૂ. ગુરૂદેવેશ શ્રીજીના હયામાં જે રીતનું સ્થાન મેળવ્યું, જેવી અનુપમ કૃપા મેળવી અને પૂજ્યપાદ શ્રીજીના પડછાયાની જેમ બની શાસન રક્ષાનાં કાર્યોમાં જે રીતના સહયોગ પ્રદાન કર્યું, તે તેમના અપૂર્વ સમર્પણ ભાવને જાણકાર અનુભવીએ આજે પણ અશ્રુનયને યાદ કરે છે. તેઓ પૂ. શ્રી આજે હયાત હોત તે શાસન-સમુદાયની શાન જુદી જ હેત ! પૂજયપાદ શ્રીજીના પાનામાં જ સં. ૨૦૨૩ના શ્રા. વદિ-દશમના “નમે અરિહંતાણ” ના ઉચ્ચાર પૂર્વક અપૂર્વ સમાધિ મૃત્યુને વર્યા તે દશ્ય, જાણકારની આંખ સમક્ષ હજી પણ તરવરે છે. તે પછી પ્રસંગે પૂજ્યપાદ શ્રીજીએ જ એવા ભાવનું કહેલું કે “શાસન સમર્પિત આત્માને વિરહ થાય તેનું દુઃખ થાય તે સહજ છે. પરંતુ શાસન સેવાના કાર્યોમાં જે રીતના સાથ-સહકાર આપેલ તે ભૂલાય તેવું નથી અને ભૂલા ન જ જોઈએ.” આના ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે કે પુજ્યપાદ શ્રીજીની કેવી કૃપાદ્રષ્ટિ પ્રાપ્ત કરી હશે. અને પૂ. ગુરુ મહારાજના હીયામાં કેવા વસ્થા હશે?
પૂ. ગુરુદેવેશ શ્રીજીના ઉપાસક-ભકત ગણાતા આપણે પણ શાંતચિત્તે નિષ્પક્ષ રીતે વિચારવું જોઈએ કે “પરમ તારક ૫. ગુરુદેવેશ શ્રીજીના હ યામાં આપણે વસ્યા
ઈશું કે નહિ તે તે જ્ઞાની જાણે પણ આપણા હ યામાં-રેમેરોમમાં પૂ. તારક ગુરૂદેવેશ શ્રીજીનો આવાસ તે બરાબર જ છે ને ?” આવી જે પ્રતીતિ થાય તે પણ આનંદ પામોઇએ, કેમકે, પિતાના હયાના મેરેમમાં પૂ. તારક ગુરુદેવ વસી જાય તે પણ ઉન્નતિમાન-શુભદયની નિશાની છે. અસ્તુ,