Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
- ૧૨૧૬ :
",
"
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
તે આ પ્રમાણે સુખ ધર્મ-ધર્મથી સુખ મળે--અને અર્થ એકે ધર્મથી જેમ માના સુખ મળે તેમ સંસારના સુખ પણ મળે અને પાપથી દુખ મળે. જે દુઃખી ન થવું હોય તે પાપ ન કરે અને સુખી થવું હોય તે ધર્મ કરે આમ આવું નથી કહ્યું કે મેક્ષા જોઈએ તેજ ઘર્મ કરે અને સંસારના સુખ જોઈએ તો પાપ કરે. પણ મોક્ષનું સુખ જોઈએ તે ધર્મ કરે છે તેમ સંસારના સુખ જોઈએ તે પણ ઘર્મ જ કરો પાપ નહિ જ્ઞાનીઓને આશય એજ છે કે પાપ છોડે અને ધર્મ પ્રવૃતિ કરે.
. આવુ પ્રરૂપણ તાત્પર્યાથ સુધીનું વિશેષ પષ્ટિકરણ કર્યા વગરનું હોવાના કારણે સંસાર માર્ગનું પિષણ કરનારૂ જ બની જાય છે. લોકોને આના ઉપરથી એમજ થાય કે સંસારના સુખ મેળવવા માટે ધર્મ કરવામાં વાંધો નથી. અને આજે કેટલાએ સંસારના સુખાદિ માટે ધર્મ કરી રહ્યા છે કરતા પણ થઈ ગયા છે અને જે પૂર્વમાં કરતા હતા તેઓ પણ એમજ માને કે અમે સંસારના સુખાદિ માટે ધર્મ કરી રહ્યા છીએ તે બરાબર છે વધારે શું કહીએ કેટલાક સાધુ આદિ પણ શાસન અમાન્ય માણભદ્ર કે પદ્માવતી આદિના પૂજને ભણાવવા આદિ દ્વારા પણ સંસારમાર્ગના પિષણ ને વ્યાપાર ધમકાર કરી રહ્યા છે અને ખુલ્લે આમ સમજાવે છે કે સંસારના સુખ સંપતિ વગેરે જોઈતા હોય તે ધર્મ કરે. કેટલાક સાધુ લોકેને પેલી સી પૂર્વક સમજાવે છેતમને ધન સંપતિ બંગલા બગીચા ઘર બાર વગેરે મળ્યા તે શાનાથી મળ્યા ? સભામાંથી માણસ એમજ એ પ્રશ્નને ઉત્તર આપે કે પુણ્યથી મળ્યા બીજે પ્રશ્રન સાધુ કરે કે પુણ્ય શાનાથી બંધાયું ? તેના જવાબમાં પણ સભાના માણસે એમજ કહે કે પુણ્ય ધર્મ કરવાથી બંધાયું. પછી એ સાધુ કહે કે તમારે સુખ જોઈતું હેય તે ધર્મ કરો. આ રીતે સંસારના સુખાદિ મેળવવા માટે પિલીસી પૂર્વક ધર્મ કરવાની વાત કરે છે. હરિભદ્ર સૂ. મ. ધર્મને કર્તવ્ય તરીકે બતાવ્યું તે કેવલ મોક્ષ માટે જ નહિ પણ સંસારના સુખ માટે પણ કતવ્ય તરીકે બતાવ્યા છે આવી, રજુઆત કરીને સંસાર માર્ગનું પોષણ કરે છે એ મેક્ષ માર્ગની પ્રરૂપણ કરવાની શાસ્ત્રીય વાતને આવા અપસિદ્ધાનથી હડસેલી દે છે. ' . ધન ધનાથિનાં પ્રકૃતિ (ધર્મ:) કામિનાં સર્વ કામદ, અર્થાત્ દમ ધનના અથીને ધન આપે છે સુખની ઈચ્છાવાળાને સુખ આપે છે. પરંપરાએ પર્મજ મોક્ષ આપે છે. અહિં સ્પષ્ટ કહ્યું કે ધન અને સુખની ઈચ્છાથી ઘર્મ કરે અને ધમ ધન અને પુત્રાદિ સુખ આપે છેઆ રીતની વાત કરીને પાપ ધર્મ બિન્દુ નામના શાસ્ત્રની વાત ને પણ અપસિદ્ધાન્ત રજુઆતથી અથડાવી નાખી છે કેમકે અધુરી રજુઆત કરી છે જે સંસાર માર્ગનું પિષણ કરનારી બને છે