Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
අප පපපපපපපපපපපපපපපපපපප વાસ્તવિકતાના આરે આવીએ.... ના
જ – શ્રી મુક્તિપથ પથિક පපපපපපපපපපපපපපපපපපපපපප
' (ગતાંકથી ચાલુ) સંસારી અને આજે જે સુખ (અનુભવાયેલું છે તે કાલે યાદ કરવા યોગ્ય (મરણીય) હોય છે. અર્થાત્ સંસારનું સુખ નાશવનુ છે વિષય ભોગવતા જ અનુભવાય છે વિશ્વને ભેગવટે પૂરો થતા સુખ નાશ પામી જાય છે પછી તે મે આ સુખ ભેળવ્યું હતું. એ રીતનું સ્મરણ જ થાય છે, એ વખતે એ સુખની અનુભૂતિ થતી નથી. એથી કરીને બુધ પુરૂષ (વિવેકી પુરૂષ ) નિરુપસર્ગ = નાશ ન પામનારા અપવર્ગ = મેક્ષના સુખને જ માંગે છે = ઈચ્છે છે. છે. જ્યારે મુઢ માણસ (મુખ-અવિવેકી) જેમ, દુર્લભ એવા કલ્પવૃક્ષને જોઈને વાટિકા= કેડીને માને છે [ઇરછે છે] તેમ જે મનુષ્ય પણમાં મોક્ષ રૂપ ફળની પ્રાપ્તિ થાય તે મનુષ્ય ભવ માં મુઢ માણસ વિષયને માંગે છે [ઇરછે છે] [શોધે છે].
* વિષય પુખને ઈચ્છનાર માણસ મુઢ છે.
મોક્ષ સુખને ઇરછનાર બુધ છે. બુધ માણસનું સ્વરૂપ સમજાયુ હેત તે “જ્ઞાનીઓને આશય એજ છે કે પાપ છોડે અને ધર્મ પ્રવૃત્તિ કરે” આવુ અસ્પષ્ટ નિરૂપણ પણ ન કરત..
વળી આ ઈલાતી પુત્રના દષ્ટાન્તમાં લેખકે વિરોધાભાષી પણ લખાણ કર્યું છે જે વાંચકે ધ્યાન દઈને વાંચે તે તેમને સમજાયા વગર ન રહે. એક બાજુ ધન સુખ પુત્રાદિ માટે ધર્મ કરવાનું પ્રરૂપણ જોર શોરથી કર્યું છે જ્યારે બીજી બાજુઘલાતી પુત્રને ઉંચી કિંમતના શબ્દ રૂપ રસાદિ વિષયે મળવા પર કેમ એને એમાં રસ અને રાગ નહોતે એ પ્રશ્નના ઉત્તરમાં લેખક જણાવે છે કે એનું કારણ એ કે એણે પૂર્વભવમાં નિરાશસભા ધર્મ સાધના કરેલી એ આંતરિક નિરાશંસપણાને લીધે શુભ સંસ્કારવાળુ શુભાનુંબંધી પુણ્યાનુબંધી પુણ્ય બંધાયેલું એથી ભવન્તરમાં ઈલાતી પુત્રને ઉચ્ચકેટીના શબ્દાદિ વિષયે મળવા છતા એમાં વિષયરાગ-વિષય લંપટતા વગેરેની દુર્બદિધ ન જાગી. ત્યાગ વૈરાગ્ય-નિસ્પૃહતા વગેરેની સદ્દબુધિ જાગી હતી. એથી વિષયમાં રાગ રસ ન હેતે, ધર્મમાં રસ હતે. "
. લેખકે નિરાસપણાનો અર્થ ખુબજ સુંદર કર્યો છે-નિરાશસંપણું એટલે દુન્યવી વિષયની આશંસા નહી અપેક્ષા નહી. અર્થાત્ ધર્મસાધનાના ફળ રૂપે મને દુન્યવી વિષય સુખ મળે એવી આશંસા અપેક્ષા નહી. અભિલાષા નહી.