Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: જૈન શાસન (અઠવાડિક) મહેફિલે મંડાય છે.” માણેકને આ કાવ્ય પંકિતને અર્થ સેદાહરણ સમજાવ હોય તે “પ્રિવેન્શિન ઓફ કૃઅલટી ટુ એનિમલ્સ એકટ” એનું ઉત્તમ ઉદાહરણ છે. આ કાયદા અનુસાર મરીન લાઈસ ઉપર ઘેડાને ચાબુક મારનાર વિકટેરિયાવાળા પર કોર્ટમાં કેસ થઈ શકે. (સરખા : “ચેર મુઠી જારના”) જયારે દેવનારના કતલખાનામાં જ, પાંચસો ભેંસ-બળદ કે પાંચ હજાર ઘેટાં-બકરાને મારવાનું આયોજન ગોવનાર કમિનર (છ હા, લાખ ખાંડી લુંટનારા...) મુંબઈને સૌથી મોટે સરકારી ઓફિસર ગણાય. એવું તે કદાચ અંધેરી નગરી ગંડુ રાજીના રાજમાં પણ ન બને. સૌ કે ઇએ એક વાત સ્પષ્ટપણે સમજી લેવાની જરૂર છે કે, “કીલિંગ ઈઝ ધી સીવીયરેસ્ટ ફર્મ ઓફ ધી કૃઅલટી” કતલથી ચડિયાતી કે ઈ કરતા નથી. કહેવાતી કુરતાના ખાળે ડૂચા મારીને કતલના દરવાજા ખોલી આપનારા કાયદા છોકરાવને પટાવવા માટે ઠીક છે. બાકી કોઈ પણું સુસંસ્કૃત સમાજની કાયદાપોથીમાં આ કાયદો સંભવી ન શકે. રસ્તે ચાલતાં કોઈ માણસને તમે તમારો મારી દે કે. લાકડી ફટકારીને તેને પગ ભાંગી નાખે તે તમને ? સજા થાય પણ તેના પેટમાં છુરી હુલાવી દે તે તમને કાંઈ ન થાય તેવા કાયદાની તમે કલ્પના કરી શકે છે ? પશુઓની બાબતમાં બસ, બરાબર આ જ કાયદે હિંદુસ્તાનનાં લગભગ તમામ રાજ્યમાં અસ્તિત્વ ધરાવે છે. ખાણીપીણીથી લઈને રહેવું કરણી સુધીની તમામ ચીજ વસ્તુઓ યુરોપ-અમેરિકાથી ઉછીની ઉધારી લઈ આવવાના ભારતીય શિક્ષિતેના મને વલણે કાયદાઓનાં ઘડતરની બાબતમાં પણ આવું જ કર્યું છે અને આવા બેઢંગા કાયદાઓ આવા મનેવલણનું પરિણામ છે. હિન્દુસ્તાનની ધરતી, તેની પ્રજા, તેના રીત-રિવાજે, સંસ્કૃતિ અને ધર્મથી તદ્દન “એલિયન યુરોપ-અમેરિ. કાના કાયદાઓના થથાને નવા કાયદા ધરતી વખતે મેડેલ તરીકે સ્વીકારવાને બદલે યુગો જુની ભારતીય જીવનશૈલીમાં મુળીયાં નાખીને પાંગરેલ નિગમથી લઇને સ્મૃતિઓમાં છતાં થતા ભારતીય કાયદાશાસ્ત્રીઓના શાણપણને લક્ષમાં લેવામાં આવે તે પરિણામ આનાથી ઘણું જુદું આવે. •
પશુઓ ઉપર થતી કુરતાના નિવારણ માટે કાયદો ઘડવા જે દેશે કહેવાતા વૈજ્ઞાનિક અખતરાઓથી લઈને ભેજન સુધીના હેતુઓ માટે લાખે પ્રાણીઓને રિબાવી– ' રિબાવીને મારી નાખે છે તેમની કાયદા થિીઓને આશરો લેવાય કે દુનિયા આખીની સામે અહિંસાને આદર્શ ખડે કરનાર ભગવાન મહાવીર જેવી વિભૂતિઓને તે “લેમેન” પણ સમજી શકે તેવી વાત છે.
જેને પોતાની રોજિંદી ધર્મક્રિયાઓમાં જેનું દિવસમાં દસવાર ઉચ્ચારણ કરતાં હશે અને જેનેનું આઠ વર્ષનું નાનું છોકરું પણ જેને કડકડાટ બેલી બતાવશે, તેવું ઈરિયાવહિય” સૂત્ર આવા કાયદા કરવા માટે ધ્રુવતારકસમું બની રહે તેવું છે. ભગ