Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
લ
નૂતન વર્ષની મંગલ ભાવના નૂતન વર્ષનું મંગલ પ્રભાત તમારા સૌના જીવનને સમ્યગ્ધર્મની ખુબુથી મહેકતું ? બનાવે. તમારા આત્મા ઉપરથી અજ્ઞાનને અંધકાર દૂર થાઓ અને સમ્યજ્ઞાનના પ્રકાશના પંજ જીવનને અજવાળનારા અને સી જીવનું કલ્યાણ થાઓ. સઘળા ય ! છે પરહિતમાં રકત બનો, સઘળા ય જીવોના રાગાદિ દે નાશ પામે અને સર્વ
છ આત્મસુખની સમૃદ્ધિથી સમૃદ્ધ થાઓ. છે જીવનની ક્ષણિકતાને સમજાવતું જીવન વહેણમાંથી એક વર્ષનું વહાણ વહી છે 8 ગયું. આજના સોનેરી પ્રભાતના નિ વાતાવરણમાં આત્મા સાથે વિચારે કે-મારે છે
જીવનને ઢાળ કઈ બાજુ છે ? જમી - રા તરીકેની નામના ધરાવતે હુ સંસારની છે લાલસાવાળું છું કે સમ્યગ્ધની ભાવનાવાળી છું ? મારો વધુ સમય સંસારની પ્રવૃત્તિમાં છે
શરીરની સેવા-સુશ્રુષાદિમાં જાય છે કે તારક ધર્મની આરાધનામાં જાય છે ! મહેપારી . ( હિતૈષીએ ભારપૂર્વક ફરમાવે છે કે- દશ દશ દષ્ટાંતે દુર્લભ એવા મનુષ્ય જન્મને ! પામ્યા પછી, સાચી સમજ આવ્યા પછી સમ્યગ્ધર્મ રહિત જેટલી ક્ષણે જાય છે તે ન બધી નિષ્ફલ અને નિરર્થક જાય છે. કેમકે, આ જીવન પાણીના પરપોટા જેવું અનિત્ય ? છે, વિજળીના ચમકારા જેવું ચંચલ છે, કુશાગ્ર ઉપર રહેલા જળબિંદુ સમાન અસ્થિર છે
છે, સંધ્યાના રાગ કે સ્વપ્ન સમાન ક્ષણિક છે માટે આત્મહિતને માટે જ ઉદ્યમ કરે છે 8 એ વિવેકીઓનું પરમકર્તવ્ય છે. પાણીના રેલાને રોકી શકાય પણ મહાનદી ને પ્રવાહને છે. છે ખાળી શકાતું નથી. એમ જરા અને મૃત્યુ રોકવા અશકય છે. પાંદુડું જીણું થતાં ખરી છે
પડે છે કે સદવિકસિત પુપ પણ અલ્પકાળમાં કરમાઈ જાય છે તે જાણીને ભાવિને છે છે સુંદર બનાવવાને ભવ્ય પુરુષાર્થ આદરે તે જ સાચે બુદ્ધિશાળી છે. માટે જીવનમાં આ ધર્મને જ પ્રધાન બનાવવો જોઈએ જેથી આ જન્મ જ અજન્મનું બીજ બની જાય. ૪
આવી પર ચદશાને પામવા માટે સંસારની-સંસારના પદાર્થોની આસકિત-તૃષ્ણા છે ઘટાડવી જોઈએ, મેહમદિરાની મૂછને મારવી જોઈએ જેથી સાચી ચેતના જાગૃત થાય. આ અજ્ઞાનના અંધકારને હટાવ જોઈએ, પાપને ડર પેદા કરવા જોઇએ, વિષયની વાસનાના આવેગને ખાળવે જોઈએ, તેને મુળમાંથી નાશ કરવા પ્રયત્ન કરવો જોઈએ, 8 કષાયની નાગચૂડ પકકડમાંથી મુક્ત થવું જોઈએ, સુખની લીનતા અને દુઃખની દીનતાના છે દુર્ગુણને દેશવટે દેવો જોઈએ, બેટી ઈચ્છાઓ મારવી જોઈએ. (જુઓ ટાઈટલ ૩) !