Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આ પૂ આ. શ્રી વિ. રામચંદ્ર સૂ. મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક બીજો:
: ૩૩૩ સદાય દૂર જ રહેજે. તમારા સંયમને સળગાવીને ખાખ કરી મૂકનાર ધન લાલસા કે શિષ્ય સંપ્રદાયને વધારવાની લાલસાથી લાખે જોજન દૂર જ રહેજે. યાદ રાખો કે મુનિ તે સવરૂપદશાને પ્રગટાવવા નિકળેલું એક સંસાર ત્યાગી છે. એને ને લકમીને વળી શી લેવા દેવા હોય ? એ તે પોતાના આત્માને અને પોતાના પરિચયમાં આવ નાર સૌ કોઈને એક જ શિખામણ આ પતે રહેતું હોય કે.”
ગુણુ સમૃદ્ધ બનો, ધન સમૃદ્ધ નહિ !” | ૦ શ્રી જૈન શાસને સુગરના સ્વરૂપનું નિરૂપણ કરતાં જેમ એ કરમાવ્યું છે કે- “તેઓ મહાવ્રતોને ધરનારા હોય છે, પોતે સ્વીકારેલા તે “મહાતેના પાલનમાં ધીર હોય છે, ભિક્ષા માત્રથી આજીવિકા કરનારા હોય છે અને સામાયિકમાં એટલે કે સમભાવમાં અગર તો કહો કે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર રૂપ રત્નત્રયીની આરાધનામાં રહેનારા હે ય છે? તેમ એ પણ ફરમાવ્યું છે કે-“તેઓ ધમને જ ઉપદેશ દેનારા હોય છે. આથી,
સ્વ-પરના કલ્યાણના અભિલાષી મહાત્માઓ જેમ પોતે સ્વીકારેલાં મહાનતાની કે પ્રતિજ્ઞાઓના પરિપાલનને માટે સુસજજ બન્યા રહે છે અને સમભાવમાં રહેવાનો પરિશ્રમ સેવ્યા કરે છે, તેમ જ્યારે જ્યારે ઉપદેશ આપવાનો પ્રસંગ 8 આવી લાગે છે, ત્યારે ત્યારે સ્વ-પરના અધિકારને ખ્યાલ રાખીને, એક
માત્ર મુકિતસાધક ધમને જ ઉપદેશ આપવામાં પ્રવૃત્ત થાય છે. આ કારણે જ છે સાચા જેને પણ મુક્તિ-સાધક ધમની આરાધનાદિ સિવાયને ઉપદે ? આપનારાઓને સાધુ તરીકે માનતા નથી, પણ તેઓને માત્ર વેષધારી તરીકે જ માને છે, એવા વેષ ધારિઓ જેમ પિતાના આત્માનું અકલ્યાણ કરનારા બને છે, તેમ તેવાઓના સંસર્ગમાં આવતા બીજા પણ ભદ્રિક અને અજ્ઞાન આત્માઓનું અકલ્યાણ કરનારા બને છે. આ કારણે, એવા વેષ ધારિઓની અકલ્યાણ કારકતાને જાહેર કરવી, એ પણ એક પ્રકારનો કલ્યાણકારી જ પ્રયત્ન છે, જે એમ શ્રી જૈન શાસનને વફાદાર રહેવાને ઇચ્છતા સાધુઓ અને શ્રાવકે માને ? છે. આ કલ્યાણકારી પ્રયત્ન કરનારાઓ પણ જેઓને “કજીયાખર' અને કંકાસી ભાસે છે, તેઓ પણ ભવ્યાત્માઓના કલ્યાણના વિષયમાં ભયંકર કેટિના શત્રુની જ ગરજને સારનારા બને છે. આથી સ્પષ્ટ છે કે–તેવી ? દાંભિક શાનિતના નામે જેઓ કલ્યાણ માગથી સ્વયં ભ્રષ્ટ બની. બીજાઓને કે પણ કલ્યાણ માર્ગથી ભ્રષ્ટ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તેવા અદષ્ટ છે કલ્યાણુકર વેધારિએ આદિથી પણ કલ્યાણકામિઓએ સાવ બન્યા રહેવાની છે
–શ્રી ધર્મરત્ન પ્રકરણ ભાગ-પહેલે .
S