________________ 168 જ્ઞાનમંજરી ભૂમિકા પર છે ત્યાં આસક્તિપૂર્વક આશા, ઈચ્છા અને વિષયેનું સેવન કરતા રહે છે અને આ રીતે તેઓ દુઃખને કોઈ પણ પ્રકારે ઓછાં નહીં કરતાં, ઊલટા વધુ દુઃખી થઈ, શારીરિક અને માનસિક દુઃખના જ ચકમાં ફર્યા કરે છે, એમ કહું છું.” માટે ક્રિયાદિનું અભિમાન કરનાર કહ્યા. “ચાર પ્રકારના આહાર, ઊર્ધલેક (સ્વર્ગ), દુઃખ, શેક, વિતિગિચ્છા (દુગંછા, અણગમો), એ મેહનાં પાંચ નામ અને દશ સંજ્ઞા સહિત ધર્મના અભ્યાસરૂપ પ્રવૃત્તિ તે ધર્મ નથી' એમ આચારાંગની ટીકામાં કહ્યું છે. ભાવના - અનુપ્રેક્ષારૂપ જ્ઞાનમાં મગ્ન રહેનાર કિયાન કરતે (નિષ્કિય) હોય તે પણ તથા પ્રકારનું તીવ્રતર વીર્ય જેનું ઢંકાઈ રહ્યું છે તે પોતે નથી, બંધાતું નથી. સૂત્રકૃતાંગમાં કહ્યું છે કે - "न कम्मणा कम्म खवंति बाला, अकम्मणा कम्म खवंति वीरा / मेहाविणो लोभमयावतीता संतोसिणो नोपकरंति पावं // " ભાવાર્થ - અજ્ઞાની કિયાવડે કર્મને ક્ષય કરતા નથી; વીર પુરુષ (સમ્યકજ્ઞાનવંત) કિયા વિના કર્મોને ક્ષય કરે છે. મેધાવી (સમ્યક્ બુદ્ધિવાળા) પુરુષે લેભ અને મદ રહિત બની સંતોષી રહેવાથી પાપ વધારતા નથી. "जहा कुम्मो स अंगाइं सए देहे समाहरे / एवं पावाई मेहावी अज्झप्पेणं समाहरे // " ભાવાર્થ:–જેવી રીતે કાચબે પિતાના અંગ-ઉપાંગને પિતાના દેહમાં સંકેચી લે છે, તેવી રીતે મેધાવી મહાત્મા