Book Title: Gyanmanjari
Author(s): Devchandra, Yashovijay
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 420
________________ 32 સર્વનય આશ્રયણ-અષ્ટક 411 અસંખ્યાત સમયે પણ દેશથી જણાય છે તે જ્ઞાન પણ ગૌણ-મુખ્યતા રૂપે પ્રવર્તે છે. “તત્વાર્થસૂત્રમાં કહ્યું છે : fકતાનતસિદ્ધ ગૌણ મુખ્યતાથી વચન વડે પદાર્થનું સ્વરૂપ સિદ્ધ થાય છે. એ સૂત્રના વ્યાખ્યાનમાં જણાવ્યું છે. સર્વજ્ઞને તે બધુંય એક સમયે જ જણાય છે એટલે જ્ઞાનમાં ગૌણ મુખ્યતા હોય પણ રાગ દ્વેષની પરિણતિથી નથી. રાગ દ્વેષની પરિણતિ બંધનું કારણ છે. માટે યથાર્થ બોધ થવા નયસ્વરૂપે વસ્તુનું વિવેચન હિતરૂપ છે, પણ રાગ-દ્વેષ હિતકારી નથી. તેથી જ્ઞાન માટે સમભાવ કરવા એગ્ય છે અને જ્ઞાનની સમતા જ ચારિત્ર છે. તે અર્થે જ હવે કહે છે - સર્વ નયે પિતાપિતાના પક્ષ સ્થાપવા પ્રવર્તતાં દોડે છે પણ શુદ્ધ આત્મધર્મમાં સ્થિર રહે છે માટે મુનિ ચારિત્ર (ચય કર્મ સમૂહ+રિક્ત=ખાલી કરવું) ગુણના વર્ધમાન પર્યાય સહિત સર્વનય આશ્રિત થાય એટલે દ્રવ્યને કારણને ગ્રહણ કરનાર થાય, ભાવનયે તે કાર્યના ગ્રહણ કરનાર થાય; ક્રિયાનય સાધનમાં ઉદ્યમ કરવારૂપ છે, જ્ઞાનનય જ્ઞાનમાં વિશ્રામ (સ્થિરતા) કરવારૂપ છે, એમ સર્વ નયમાં આસક્ત થાય. શ્રી ભગવતી સૂત્રની ટીકામાં કહ્યું છે કે"जइ जिणमयं पव्वज्जह ता मा विवहारनिच्छए मुयह / ववहार नओच्छेए तित्थुच्छेओ जओ भणिओ // " ભાવાર્થ - જે જિનમત પ્રવર્તાવવો હોય તે વ્યવહાર અને નિશ્ચય નાને મૂકી ન દેશે; કારણ કે વ્યવહાર નયને ઉત્થાપવાથી તીર્થ–સદ્દધર્મને ઉચ્છેદ (નાશ) થશે એમ કહ્યું છે. | માટે સમતા હિતકારી છે ફરીથી તે જ વાત દ્રઢ કરે છે :-

Loading...

Page Navigation
1 ... 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466