________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૧) અને ઉસદગંતહાસુય એટલે ઉષ્ણદક. તે તાપાણું તેમ ફાસું પાણી તે સંજએ એટલે સાધુને પડિશાહિઝ એટલે લેવું. એ અર્થ વિચારી સચિન ટાઢા પાણીથી ભરેલા માટલા બેહેડા પ્રમુખ ઉપાસરામાં દેખીને ભણવાનું પડતું મૂકી ગુરૂ પાસે આવી પૂછવા લાગી કે, હે ભગવન્! આપણે શું કહિયે છીએ? અને શું કરીએ છીએ? એમ કહી પૂર્વોક્ત શ્રીદશવૈકાલિકેક્ત ગાથા કહી સંભલાવી, તેવારે ગુરૂયે કહ્યું છે વત્સ! સૂત્રમાં ચોથા આરાની ક્રિયા કહી છે તે આજના પાંચમા દુખમ આરામાં પલે નહી, તેવારે શિષ્ય પૂછયું, હે સ્વામિન્ ! સૂત્રમાં જે પ્રમાણે ક્રિયા કહી છે તે પ્રમાણે જ ક્રિયા કેઈ સાધુ પાલે તો તેને લાભ છે કે નથી? તે સાંભલી ગુરૂયે કહ્યું એ પ્રમાણે જે પુરૂષ ક્રિયા પાલે તેને ધન્ય છે. તે વારે શિષ્ય પણ ગુરૂ પાસેથી સર્વ સિદ્ધાંત વાંચી સમસ્ત ક્રિયા કરવાની ખરેખરી રીતે સમજી લઈ તહત્તિ કરીને શુદ્વમાર્ગ આદર્યો. તેને શુદ્ધ દિયાવાન
For Private and Personal Use Only