________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મ સાધનત આશ શરીર છે. શારીરિક શક્તિ ખીલ થવા માટે મુક્તાહારવિહારથી સંરક્ષા કરવાની જરૂર છે. સાધુઓએ અને સાધ્વીઓએ દ્રવ્યપ્રાણાયામ અને ભાવ પ્રાણાયામથી કાયિક તથા માનસિક તંદુરસ્તી જાળવવી જોઈએ. આહાર વિહાર અને આચારમાં નિયમિત રહેવાથી શારીરિક આરોગ્ય સંરક્ષાય છે. અને તેથી માનસિક, સાત્વિક અને આરોગ્યની પુષ્ટિ સાથે આ ત્માનંદમાં વિહરી શકાય છે. શારીરિક શકિત ખીલવીને તેને ધર્મા, પરેપકારાર્થે ઉપયોગ કરવાનું છે. શારીરિક વીર્યસંરક્ષા રૂપ બ્રહ્મચર્યની અનંતગણી કિંમત આંકીને શારીરિક વીર્ય સંરક્ષારૂપ બ્રહ્મચર્યનું પરિપૂર્ણ પાલન કરવું જોઈએ અને તેની સાથે ભાવબ્રહ્મચર્યના ગુણ ખીલવવા પ્રયત્ન કરવો જોઈએ. આગામેથી એવા શારીરિક વ્યાયામેવડે (ખમાસમણે) દેહસંરક્ષા કરવાને લક્ષ્ય દેવાથી અને તે પ્રમાણે પ્રવર્તવાથી ચાત્રિગુણની સમ્યક્ આરાધના થાય છે. સાધુઓના અને સાધ્વીઓના શારીરિક આરોગ્ય માટે લક્ષ્ય રહે એવી
For Private and Personal Use Only