________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧) ભિન્ન ઉપદેશ આપે. ત્રીજે સાધુ ત્યાં આવી ઉપર કચ્યા પ્રમાણે બે સાધુઓના ઉપદેશથી ભિન્ન પ્રકારને ઉપદેશ આપે અને સ્વસ્વમતની સિદ્ધિ તથા તેને પ્રચાર કરવા શ્રાવકને દષ્ટિરાગમાં આકર્ષે, તેનું પરિણામ એ આવે કે ગામના શ્રાવક ભિન્ન ભિન્ન મતમાં વહેંચાઈ જાય. શ્રાવક સંઘમાં ધર્મનું એક કાર્ય કરવામાં મતભેદ કુસંપ થાય. સાધુઓ પણ તેવા ઉપદેશથી કાંઈ કાર્ય કરી શકે નહિ અને કયા સાધુનું કથન સત્ય છે? તે પરિપૂર્ણ ન સમજવાથી તેઓ ઈદં તૃતીયમ મત બાંધે, તે ગામના શ્રાવકે ફક્ત સાધુઓને તમારો દેખે અને અંતરની ગુરૂબુદ્ધિની પૂર્ણ શ્રદ્ધા વિનાના થઈ ગુરૂની આજ્ઞા વિનાના બને અને તેથી જૈન સંઘનું બળ વધી શકે નહિ, અને આચાર્યની આજ્ઞા માન્યા વિના મહા કાર્ય કરી શકે નહિ. જે જે સાધુઓ વિદ્યમાન હોય તેઓની સત્તાથી નિરંકુશ બનેલા ગૃહસ્થ જેનેની મરજી રાગપર તે સાધુઓનું અસ્તિત્વ જીવન ઉભું રહે. ભિન્ન ભિન્ન મત વિચારવાળા સાધુઓના ઉપદેશથી
For Private and Personal Use Only