________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૭) તે પ્રમાણે જેને કાર્ય કરવાનાં હોય તે તે દરેકના અધિકાર પ્રમાણે સોંપવાં. આ પ્રમાણે સુવ્યવસ્થા પૂર્વક કાર્ય કરવાથી મહાસંઘની એકતા પ્રગતિવૃદ્ધિમાં ભાગ લેઈ શકાશે. ગચ્છાદિ મંડળોના મુખ્ય અધિપતિએની સાથે નમ્રતા લઘુતાથી વર્તનારા અને સમચિત્ત વર્તનથી તેઓનું આકર્ષણ કરવામાં જે ખરેખરા દક્ષ. અને આત્મશકિત સંપન્ન હોય છે, તેઓ શ્રી મહાસંઘને અને જૈનધર્મની પ્રગતિ-વૃદ્ધિમાં સ્વજીવનને આત્મભેગ આપી શકે છે. સર્વ ગચછના આચાર્યો વગેરેની સાથે પરસ્પરમાં જે સલાહસંપના કરારે કરાવીને પરસ્પરના સંપમાં વૃદ્ધિ થવાના સંયોગે મેળવવાનું જે જાણે છે તે શ્રીમહાસંઘની એક્તા કરવાને શકિતમાન થાય છે. શ્રી ચતુવિધા મહાસંઘની એકતા–પ્રગતિબળ વૃદ્ધિ કરનારા પ્રત્યેક જેને ઉપરની બીના સ્વહૃદયમાં ધારણ કરવી અને મહાસંઘના મંડળના નાયકેની સાથે અને તેઓની માન્યતાઓની સાથે અથડાવવાનો પ્રસંગ પ્રાપ્ત કર
For Private and Personal Use Only