________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચક, શ્રીવાસ્વામી વગેરે મહામુનિવરનું શારીરિક બળ અદ્દભુત હતું. તેથી તેઓ વિશ્વપટ્ટ પર અનેક ગ્રંથો રચીને આદર્શ પુરૂષ બની અમર બન્યા છે. જ્ઞાનાભ્યાસમાં ખાસ શારીરિક બળની આવશ્યકતા સિદ્ધ કરે છે. શારીરિક બળ ખીલવીને જે પંચાચાર અને પંચ મહાવ્રત પાળે છે, તે મુક્તિપદ પ્રાપ્ત કરી શકે છે. વિષય વાસનાઓ દ્વારા થતી સુખવૃત્તિને સર્વથા નાશ કર્યા વિના અને વિષયાતીત આત્મસ્વરૂપમાં સત્ય સુખ છે એ દ્રઢ નિશ્ચય થયા વિના શારીરિક વીર્ય અને આત્મિક વીર્યની સુરક્ષા વૃદ્ધિ પ્રગતિ થઈ શકતી નથી, એ ખાસ અનુભવીને સાધુઓએ અને સાધ્વીઓએ ઉપરની વાત ધ્યાનમાં લઈ આચારમાં મુકવી. શ્રાવક સંઘ અને શ્રાવિકા સંઘ વગેરેને પણ શારીરિક વીર્યની સંરસાથે ઉપરોક્ત બાબતને સ્વાધિકાર પ્રમાણે આચારમાં મુકવી જોઈએ. જ્યાં સુધી સ્વાધિકાર કd વ્યકર્મનું સમ્યક્ ભાન થતું નથી, ત્યાં સુધી
For Private and Personal Use Only