________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૦) ગતિનું અવનતિ ચક્ર પ્રવર્તે છે. જ્યારે જૈન સંઘ અને જૈન ધર્મની પ્રગતિના બદલે અધગતિનું અવનતિ ચક્ર પ્રવર્તે છે, ત્યારે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાનું વ્યવસ્થિત સમુદાયિક બળ ખરેખર નષ્ટ થઈ જાય છે. અલ્પ અ૫ બળને સમૂહ ખરેખર વ્યવસ્થિત મર્યાદાએ પ્રગતિમાં અધિક બળ સમાપે છે. સાધુઓએ, સાધ્વીઓએ, શ્રાવકોએ અને શ્રાવિકાઓએ ક્રમ વ્યવસ્થા વ્યવસ્થિત સ્વાચાર્યસત્તા સ્વીકારી તે પ્રમાણે પોતાની ફરજ વર્તન દ્વારા પ્રગતિમાર્ગમાં પ્રત્યેકે આગળ વધવું જોઈએ,
આજ્ઞાબળ, સત્તાબળ, વ્યવસ્થાબળ, જનાબળ, સ્વાસ્તિત્વ સંરક્ષાબળ, આચાર્યબળ, સંઘબળ, નિયમબળ અને વ્યવસ્થિત પ્રગતિબળની વૃદ્ધિ માટે જેનના પ્રત્યેક અંશે પરસ્પર સહાયતા અવલંબીને મુખ્ય ઉદ્દેશ સાધ્યાશયને લક્ષ્યમાં રાખી પ્રવર્તાવું જોઈએ. ઉપરયુકત સર્વ પ્રકાર બળપ્રગતિ કારક જે જે વિદ્યમાન સાહિત્ય હોય તેની સુરક્ષા કરવી
For Private and Personal Use Only