________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિતાનીજ સેવા છે, તેને જે આત્મા તે મહારાજ આત્મા છે, તેની શોભા તે હારી શોભા, તેની હાનિ તે હારીજ હાનિ, તેની જાહેજહાલી તે હારીજ જાહોજલાલી, તેનું જે શુભ તે મહારૂં જ શુભ, અને ચતુર્વિધ મહા સંઘમાં હારો પ્રાણુ–આત્મા, મન, વાણી અને કાયાને અભેદ છે એમ અભેદભાવ દ્રષ્ટિને ક્ષણે ક્ષણે હૃદયમાં ધારણ કરીને તે પ્રમાણે આચારમાં મૂકી પ્રવર્તવું જોઈએ. શ્રી ચતુર્વિધ મહાસંઘમાં ભૂતમાં જે ઉન્નતિ હતી તે જ મહારી ઉન્નતિ હતી, વવર્તમાનમાં જે ઉન્નતિ થાય છે તે હારી ઉન્નતિ થાય છે, અને તેની ભાવિ ઉન્નતિ તે પણ હારી ભાવિ ઉmતિ છે. ચતુર્વિધસંધના દરેક શુભ મંગળની સાથે હારા આત્માનું મંગળ છે. હું તેજ ચતુવિધ મહાસંઘ છું. મહારી સર્વ શક્તિઓ શ્રી ચતુર્વિધ સંઘની સેવા અર્થેજ છે, એમ અભેદ ભાવના ધારણ કરીને અને આવી અભેદ દષ્ટિએ દેશસેવા, વિશ્વસેવા, વિશ્વવતિ સર્વ જીવ સેવા, ગુરૂ દેવ સેવા, ધર્મસેવા રાજ્ય
For Private and Personal Use Only