________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬૦) ૩૫ જે ક્ષેત્રમાં જે ગચ્છના સાધુઓનો રાગ હોય તેને નાશ કરી પોતાને રાગ સ્થાપવા અનેક પ્રપંચ કરવા, સાધુઓ અને સાધ્વીઓ કરતાં શ્રાવક અને શ્રાવિકાઓને ખુશ કરવાનો પ્રયત્ન કરે અને સ્વમહત્તા થઈ એટલે સામાન્ય સાધુવનું માન રહે વા ન રહે તેની દરકાર ન કરવી અને તેમની સ્થિતિ સુધારવા કઈ પણ પ્રયત્ન ન કરે એજ સાધુઓની પડતીનું કારણ છે.
૩૬ જે ગામમાં જે સંઘાડા વા ગચ્છની સત્તા શ્રાવકો૫ર પ્રવર્તતી હોય તે તેડીને તેને ઠેકાણે શ્રાવકોને રાગી કરી પિતાની સત્તા બેસાડવાનો પ્રયત્ન કરી ફાટપુટ કરાવી સંઘમાં વિગ્રહ ઘાલ અને તુચ્છતાથી અન્ય સાધુઓની હેલના થાય એવા વિચારે અને આચારમાં પ્રવૃત્ત થવું, એ સાધુઓની પડતીનું કારણ છે.
૩૭ અન્ય ગણ્યિ વા અન્ય સંઘાડાના ક્ષેત્રિોમાં તે તે ગચ્છના ઉપરી આચાર્ય વગેરેની અનુ
For Private and Personal Use Only