________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮)
પ્રકરણ ૨ જું. હિન્દુસ્તાનમાં પ્રાય: સર્વ પ્રદેશમાં જેનોની વસ્તિ છે. સારાંશ કે આર્યદેશમાં સર્વત્ર વસે છે. સર્વ દેશના જેનેને અને દરિયાપારના જૈનેને જૈનધર્મને ઉપદેશ મળ્યા કરે છે જેને માં જેનધર્મનું જ્ઞાન વ. ધતું જાય, અન્યથા જેનધર્મના ઉપદેશના અભાવે અન્ય ધર્મના ઉપદેશે તેઓ જૈનધર્મથી ભ્રષ્ટ થાય એ બનવા ચગ્ય છે. પૂર્વે જેનોની ચાલીશ કરેડના આશરે સંખ્યા હતી, હાલ જેનોની સંખ્યા તેર લાખના આસરે છે, તેનું કારણ એ છે કે જેનધર્મના ઉપદેશક મુનિએની ઘણી ખેટ છે અને તેમજ જૈન ધર્મને ઉપદેશ દેવાની પ્રવૃત્તિમાં શિથિલતા આવી છે. જૈનાચાર્યો, સાધુઓ અને શ્રાવકોએ સામાન્ય મતભેદે સ્વકીય વીર્યનો ઉપયોગ, પરસ્પરના મતનું ખંડન મંહન કરવામાં કર્યો તેથી જેન ધર્મને ઉપદેશ દેવાની અનંત વર્તનની શૈલીએ પિતાનું સ્વરૂપ બદલીને સંકુચિત વર્તલનું સ્વરૂપ ધારણ કર્યું. એટલાથી નહીં
For Private and Personal Use Only