________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭૨) સંબંધી આચાર્યો અને ઉપાધ્યાયની સલાહ લેઈ આ નુભવ પ્રાપ્ત કરે.
ગૃહસ્થ શ્રાવક, શ્રાવિકાઓ, સાધુઓ અને સાધ્વીઓએ પોતાના આચાર્યની મહત્તામાં વધારો થાય અને તેમના સદ્વિચારે સર્વત્ર ફેલાય એવી બાહ્ય તથા આત્યંતરિક યોજનાઓ ઘડીને તેને અમલમાં મૂકવી જોઈએ. આચાર્યની આજ્ઞા વિના એકલા સાધુ વિચરતા હોય તેની ગચ્છના આગેવાને તથા ગામેગામ શહેરે શહેરના શ્રાવકેએ અને શ્રાવિકાઓએ ઉપેક્ષા કરવી નહિ. ઉપેક્ષા કરવાથી પરિણામ એ આવે છે કે આચાર્યની આજ્ઞા પ્રમાણે ગામેગામ ઉપદેશ દેવાની સાધુઓ સાધ્વીઓ માટે જે જનાઓ ઘડેલી હોય છે, તે અસ્તવ્યસ્ત થાય છે અને અન્ય સાધુઓ પણ એકલા રહેવાનું મન કરે છે અને પરિણામે પ્રમાદશિથિલાચારનો પ્રવેશ થાય છે. સુવ્યવસ્થિત ઉપદેશ અને વિહારાદિની યેજનાઓ પ્રમાણે આચાર્યની આજ્ઞા પ્રમાણે સાધુઓ અને સાધ્વીઓ વતે છે તો
સાધ્વીઓ સાથે ગામેગામાં આવે છે
For Private and Personal Use Only