________________ 26 બ્રાહ્મણ, ક્ષત્રી, વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણ હતી. ઋવેદના પ્રખ્યાત પુરૂષસુક્તમાં પણ તેમને ઇસારે છે, અને તેમની ઉત્પત્તિનું વર્ણન છે. ઉપરાંત જંગલીઓની પાંચમી જાત હતી, અને તેમને આ નિશાદ કહેતા હતા. ગામ અને પૂર વસ્યાં હતાં. ઘરે ઘણું કરીને તેઓ માટીના બનાવતા પણ પથ્થર અને ચૂને પણ વાપરતા હોય એ સંભવિત છે. ગામને કેટ અને કીલા હતા. રાજાઓ પુરોહિત રાખતા હતા, અને તેમને ગાયો ઈત્યાદિ બક્ષીસ આપતા હતા. ગરીબ અને ધનવાન–એવા વર્ગ હતા અને ગરીબ પ્રત્યે ધનવાન બહુ ઉદાર રહેતા. બહુધા એક સ્ત્રી કરવાનો રિવાજ હતો, પરંતુ આ રિવાજમાં કદિ અપવાદ પણ બનતા હશે. રાજાઓમાં બહુ સ્ત્રી કરવાનો રિવાજ હોય એમ જણાય છે. પુરૂષ વધારે બળવાન–વીર્યવાન ગણાતો હોવાથી પુરૂષને આવી છૂટ અપાતી હોય એ સંભવિત છે. તથાપિ સ્ત્રીઓની સ્થિતિ સુખી હતી અને પદવી માનવંત હતી. તેથી સ્ત્રી કુંવારી રહી બાપને ઘેર ઘરડી થાય તો તેમાં મોટું દુર્ભાગ્ય મનાતું. સ્ત્રીઓને ફરી લગ્ન કરવાની છૂટ હોય એમ પણ જણાય છે. પણ તેવાં લગ્ન કવચિત જ બનતાં હોય એમ લાગે છે. જૂઠું બેલનારા પાપીઓને ભાઈ વિનાની સ્ત્રીઓ સાથે અને પિતાના સ્વામીનું બુરું વાંચતી સ્ત્રીઓ સાથે સરખાવ્યા છે. સ્વરૂપવાન સ્ત્રી પિતાને ભાગ્યશાળી ગણતી હતી. “તે પિતજ લોકમાંથી પિતાને મિત્ર પસંદ કરી લે છે,” એમ કદમાં કહ્યું છે. દ્રવ્યની ખાતર કોઈ સ્ત્રી જે કઈ પુરૂષને પરણે તે તેની બહુ નિંદા થતી હતી. આ ઉપરથી એમ જણાય છે કે કેટલીક સ્ત્રીઓને તે પિતાને પતિ પસંદ કરવાની છૂટ હતી. તથાપિ સ્વયંવરને ચાલ નહિ હોય. રામાયણ અને મહાભારતના સમયમાં સ્વયંવર થતા હતા, પરંતુ તે પણ ઘણું કરીને રાજાએમાંજ થતા હશે. આ સઘળી વાતોથી એમ જણાય છે કે બાળલગ્ન તો તે સમયે નહિજ થતાં હેય. મુસલમાનોના ત્રાસદાયક સમયમાંજ બાળલગ્નનો રિવાજ અસ્તિત્વમાં આવ્યો હોય એમ જણાય છે.