________________ ઘેડા, શત્રુથી રક્ષણ, વિજય અને કવચિત અસુર શત્રુઓનો નાશ ઇત્યાદિ મગાતાં હતાં. આત્માની અમરતાના અને ભાવિ જીંદગીની આશાના ઝકારા પણ કવચિત કવચિત દેખાય છે. દેવ અમર છે એવી માન્યતા હતા. અસત્યને તિરરકાર અને પાપને ધિક્કાર જોવામાં આવે છે. હતી, અને દેવતાઓ સંતોષાય તે કલ્યાણ અવશ્ય થાય એવી માન્યતા હતી. આ દેનાં નામ પ્રત્યે જે આપણે નજર નાખીએ છીએ તે આપણને માલમ પડે છે કે પુરાણકાળના શિવ, મહાદેવ, દુર્ગ, કાળી, રામ, કૃષ્ણ ઇત્યાદિ તે નથી; તેમ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ત્રિમૂર્તિ જે પાછળથી આપણા સાંભળવામાં બહુ આવે છે તે પણ નથી; પરંતુ અગ્નિ, ઇદ્ર, સૂર્ય, મરૂત, આદિત્ય, ઉષા, અશ્વિનો, રૂદ્ર ઈત્યાદિની પ્રાર્થનાઓ તે સમયે થતી હતી. કેટલાક કહે છે કે એ સમયે આ પિતાનાં ઢોર ઢાંખર લઈ અહીં તહીં ભટક્તા અને બહુ તે ભરવાડશાઈ જીદગી ગાળતા હતા. પણ સમયની સ્થિતિ જોતાં આ વાત માન્ય થઈ શકે એવી નથી. ખેતીની સ્થિતિ આ બાદ હતી, અને તે વખતે ધંધા હુન્નર પણ ખીલ્યાં હતાં. કાપડ વણવાનું તેઓ સારી રીતે જાણતા હતા. સુતાર કામથી તેઓ માહીતગાર હતા. સેનાન અને લેઢાના બખતર બનાવવાનું કામ પણ તેઓ જાણતા હોય એમ જણાય છે. વળી તેઓ સમુદ્રની સફરે કરતા, અને દ્વીપો ઉપર ચડાઈએ પણ તેઓ કરતા; તેથી વહાણ બાંધવાના કામમાં તેઓ કુશળ હોય એમ જણાય છે. વેપાર તે તેઓ સારી રીતે ખેડતા હતા; અને સમય જતાં મિસર, બેબિલોન ઈત્યાદિ દૂર દેશાવરેની સાથે તેઓ વેપાર કરવા લાગ્યા હતા. ખગોળશાસ્ત્રમાં તે બેશક તેઓ અનાથી બહુ આગળ વધેલા હતા. સિંધુને કઠે, કચ્છ અને ગુજરાતમાં પણ તેઓ વધી આવ્યા હતા. નાનાં નાનાં રાજ્ય અને રજવાડાં પણ તેમણે સ્થાપી દીધાં હતાં. આવા સુધરેલા આર્ય લેકે વર્ણ ગેર અને ચહેરામાં સુંદર હતા.