________________ છે. દરેક દેશે પિતાનાજ સજેનેજ સૂક્ષ્મ વિવેક કરી તેમને ખીલવવા, છે એ વાત ખાસ કરીને લક્ષમાં રાખવા જેવી છે. - આપણા આર્યાવર્તને આ દતિહાસ લખવા માટે અગાધ શક્તિ, અદ્વિતીય વિદ્વત્તા, અવિરમ શ્રમ, અને પુષ્કળ અવકાશની આવશ્યકતા છે, અને મારે માટે તો એ કાર્ય અતિ દુર્ધટ છે-કદાચ અશકય જ છે. પરંતુ લેકીની પેઠે જે કઈ સમર્થ આર્ય વિદ્વાન એ ગ્રંથ લખવાનું હાથમાં લે તે બેશક તેથી ઘણો લાભ થાય. તથાપિ આ ટૂંકા ઉદ્દઘાતમાં પણ આપણે ઈતિહાસની જેવી તેવી પણ રેખા દેરવી ઇષ્ટ છે એમ સમજી હું માત્ર સાદી અને જેમ બને તેમ ટૂંકામાં રૂપરેખા અંકિત કરવી એટલે જ ઉદેશ છે. પાશ્ચાત્ય વિદ્વાનોના ગ્રંથ ઉપરથી જણાય છે કે મનુષ્ય જાતનો નવ દશ હજાર વર્ષને વિશ્વસનીય ઈતિહાસ આપણને મળી શકે છે. મનુષ્યની ઉત્પત્તિ થયાને કેટલે કાળી ગયો છે તે કહેવું બની શકે તેમ નથી. આપણામાં યુગ યુગાંતર અને મવંતરની કલ્પના છે; અને તે પ્રમાણે કરડે શાસ્ત્ર ખૂબ ખેડયું છે, અને તેની ગણત્રી આપણી તે કલ્પનાને અનુકૂળ થતી જણાય છે. ખ્રિસ્તિ ધર્મ-પુસ્તક બાઈબલમાં મનુષ્યની ઉત્પત્તિ થયાંને છે હજાર વર્ષ કહ્યાં છે, પણ એ વાત હવે યુરોપમાં પણ મનાતી નથી. એવું જણાય છે કે ઐતિહાસિક કાળના છેક પ્રાથમિક સમયમાં આર્ય નામથી ઓળખાતે મનુષ્યને એક સમૂહ એશિયાના છેક ઉત્તર ભાગમાં વસતો હતો; અને એક સામાન્ય ભાષા બોલતો હતો. આ ભાષામાંથી યુરોપની ગ્રીક, ઇટાલિક, કેલ્ટિક, ટયુટોનિક અને લૈનિક ભાષાઓ ઉપજી આવી છે; અને એશિયાની સંસ્કૃત, પ્રાકૃત, છંદ, ફારસી અને આ રમેનિયન ભાષાઓ પણ તેમાંથી જ થઈ છે. આ મૂળ ટોળામાંથી એક ભાગ છૂટે પડી યુરેપ તરફ ગયો, અને