________________ - 22 પણું હોવું જોઈએ અને રહેવું જોઈએ; પુરૂષમાં પુરૂષપણું હેવું જોઈએ અને રહેવું જોઈએ. અને સ્ત્રીત્વ અને પુરૂષત્વના યથાર્થ મિલાપમાંજ લગ્નનું લગ્નપણું રહેલું છે. તેથી કરીને જે પ્રવૃત્તિ કે સંસ્થાથી સ્ત્રીના સ્ત્રીત્વને કે પુરૂષના પુરૂષત્વને હાનિ પહોંચતી હોય અથવા પહોંચે તેમ હોય તેને ત્યાગ થવું જોઈએ, કારણ કે તેથી લગ્ન-સંબધને હાનિ પહોંચે છે, અને તેથી સમાજને અંતે નુકસાન થાય છે. અર્વાચીન સમયમાં અનેક આર્થિક ફેરફારને લીધે યુરોપ અને અમેરિકામાં કૌટુંબિક જીવન ઘણું રૂપાંતર પામી ગયું છે. જે ધંધા પ્રથમ ઘરના ઉદ્યોગ ગણુતા હતા તે હવે યંત્રોને લીધે મોટાં મોટાં કારખાનામાં થવા લાગ્યા છે, અને સ્ત્રીઓ અને છોકરાં આ કારખાનામાં કામે જવા લાગ્યાં છે. તેથી કૌટુંબિક લાગણીઓ કેળવવાને અવકાશ બહુ થોડે રહે છે. પુરૂષ પણ લગભગ આખો દિવસ કુટુંબથી ગિળો જ રહે છે, અને તેથી પિતાની સ્ત્રી અને બાળકના સમાગમથી કિમળતાની જે કેળવણી એને મળી શકે છે તેનાથી બેનસીબ એ રહે છે. સ્ત્રીઓ પરત્વે તે વસ્તુસ્થિતિ ત્યાં બહુ ફરી ગઈ છે. વેપાર હુન્નરનાં કારખાનાં વધતાં સ્ત્રીઓને નિર્વાહનાં સાધન વધ્યાં છે; તેથી ગૂજરાન અર્થ લગ્ન ઉપર કે સગા સંબંધીઓ ઉપર આધાર રાખવાની જરૂર તેમને રહેતી નથી; અને કુંવારી જીદગીની સ્વતંત્રતા વધારે મોહક લાગતાં પરણેતર જીંદગી પ્રત્યે અણગમો રહે છે. પરણેલી સ્ત્રીઓને પણ કુટુંબની સ્થિતિ ગમે તેવી હોય તે પણ તે નીભાવી લેવાનું મન થતું નથી. અર્થાત સ્ત્રી પુરૂષની વચ્ચે આધારાધેય સંબધ રહેવું જોઈએ તે ઘણું ઓછું થઈ ગયો છે. વળી પોતે કમાતી થવાથી ઘર કામકાજ તેમને હલકા પ્રકારનું લાગે છે. આવાં અનેક કારણોથી ત્યાં લેકેનું કુટુંબ-સુખ જતું રહેવા લાગ્યું છે. આ પરિવર્તન કેટલાક વિચારશીલ લેખકેને જોખમકારક લાગે છે. માતાભિલાષી સ્ત્રીઓની ધમધમાટીની અસર કદાચ આગળ ઉપર સ્પષ્ટ થશે. પાશ્ચાત્ય દેશોમાં ઔદ્યોગિક સાહસે વધતાં આવાં પરિણામ આવ્યાં છે, અને નીતિશાસ્ત્રવેત્તાઓમાં હમણાં હમણામાં આ વાત બહુ છણાવા લાગી