________________
પ્રસ્તાવના
I
૧. આમુખ
૭
"
(૧) વાચક મહાશય ! આ પુસ્તક આપના કરકમળમાં મૂકવાથી મને આનંદ થાય છે. આનંદ થાય છે એટલું જ નહિ પણ પરમાનંદ થાય છે. એ મારા હૃદયની વાત હું સ્પષ્ટપણે કહીશ જ. આનંદ થવાનું કારણ માત્ર એટલું જ કે “તિતીર્જુનૈદાવુડુપેનઽસ્મ સાગરમ્'' કવિકુલગુરુ તિતીğ: છે, ને હું તરાપાથી (અલ્પમતિથી) જેમ તેમ કરી સાગર તરી ગયો છું. તમે પણ આ પુસ્તકરૂપી તરાપાથી સાગર તરી શકો એવો પ્રસંગ મેં કેટલેક અંશે ઉપસ્થિત કર્યો છે.
(૨) બાણભટ્ટ અને તેના પુત્ર પુલિંદ્રે રચેલી કાદંબરી કથા (નોવેલ) સંસ્કૃતવાઙમયમાંના ગદ્યકાવ્યગ્રંથોમાં શિરોરત્ન તરીકે પ્રસિદ્ધ છે. એ તો તમને જાણ હશે. અને એ ગ્રંથ પણ જોયો હશે. કદાચ સંસ્કૃત ભાષાના અપરિચયને લીધે તે ગ્રંથ વાંચવાનું સુભાગ્ય આપને પ્રાપ્ત ન થયું હોય તો પણ મે૦ હિરલાલ છગનલાલ પંડ્યાએ કરેલી ભાષાંતર કે ગુજરાતી પ્રેસની સરળ કાદંબરી તો અવશ્ય વાંચ્યા હશે ? એ પણ કદાચ ન બન્યું હોય તો તેના પરથી તૈયાર કરેલું મહાશ્વેતા કાદંબરી નામનું નાટક ચોક્કસ જોયું હશે. બાણભટ્ટ તે બાણભટ્ટ જ. કાદંબરી રચીને કીર્તિ શરીર વડે તે ‘યાવન્દ્રન્દ્રતિવારી' જગતમાં જીવે છે.
(૩) તે લગભગ આજથી તેરસો વર્ષ પહેલાં શ્રીહર્ષ રાજાના દરબારને શોભાવતો હતો. મારી ધારણા પ્રમાણે સંસ્કૃત ભાષામાં આ શૈલીની (કાદંબરી જે શૈલીથી છે તે શૈલીથી) લખવાની પહેલ કરનાર