________________
: ૮૮ ૯
૧ શ્રાવકધર્મ–પંચાશક
ગાથા-૨૮
નહિ જઉં એમ નિયમ કરવો જોઈએ. દિશાપરિમાણ વ્રત ચાવજીવ, ૧૨ માસ કે ચાતુર્માસ આદિ સુધી લેવાનું હોય છે. જ્યારે દેશાવગાસિક અહોરાત્ર, દિવસ, રાત્રિ, પહાર આદિ સુધી લેવાનું હોય છે. ] (૨૭) દેશાવગાસિક વ્રતના અતિચારો:
वज्जइ इह आणयणप्पओगपेसप्पओगयं चेव । सद्दाणुरूववायं, तह पहिया पोग्गलक्खेवं ॥२८॥
શ્રાવક દેશાવગાસિક વ્રતમાં આનયન પ્રયોગ, પ્રેગ્યપ્રયોગ, શબ્દાનુપાત, રૂપાનુપાત અને પુદગલ પ્રક્ષેપ એ પાંચ અતિચારેને ત્યાગ કરે છે.
(૧) આનયનપ્રગ– મર્યાદિત ક્ષેત્રની બહાર રહેલી વસ્તુની જરૂર પડતાં, તે વસ્તુ લેવા હું જઈશ તે વ્રતભંગ થશે એમ વિચારી, વ્રતભંગના ભયથી સંદેશા આદિથી તે વસ્તુ બીજા પાસેથી મંગાવે.
(૨) શ્રેષ્યપ્રવેગ - મર્યાદિત ક્ષેત્રની બહાર કોઈ કામ પડતાં, હું જઈશ તે વ્રતભંગ થશે એમ વિચારી, વ્રતભંગના ભયથી તે કાર્ય માટે બીજાને મોકલે.
(૩) શબ્દાનુપાત - મર્યાદિત ક્ષેત્રની બહાર રહેલી કેઈ વ્યક્તિ પોતાની પાસે અવે એ માટે ખાંસી આદિથી શબ્દ કરો-અવાજ કરે. - જેમકે – ઘરની બહાર ન જવું અને કોઈને મેકલવ પણ નહિ એવો નિયમ કર્યા પછી ઘરની બહાર રહેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org