________________
? પ૨૮ : ૧૦ ઉપાસકપ્રતિમાવિધિ-પંચાશક ગાથા-૧૪
ભાવાર્થ- કાર્ય કારણને અનુરૂપ થાય છે, અર્થાત્ જેવું કારણ હોય તેવું કાર્ય થાય. એટલે કારણ (-સામાયિક) મને દુપ્રણિધાન આદિથી રહિત હોય તે જ કાર્ય (=સાધુપણું) મનદુપ્રણિધાન આદિથી રહિત થાય. આથી સામાયિકમાં મને દુપ્રણિધાન આદિન હોય. મનદુપ્રણિધાન આદિ પાંચને અર્થ પહેલા પંચાશકની ૨૬મી ગાથામાં કહી દીધું છે.
કે આ (પંચાશકના ઉપાસક પ્રતિમા ) પ્રકરણના અને દશાશ્રુતસ્કંધના અભિપ્રાયથી સામાયિક પ્રતિમાનો કાળ અનિયત છે. (અને ક્યારે સામાયિક કરવું તે પણ અનિયત છે.) પણ આવશ્યકર્ષિ અને ઉપાસકદશાંગના અભિપ્રાયથી પ્રતિદિન સવાર-સાંજ સામાયિક કરવાનું હોય છે અને પ્રતિમાન કાળ ઉત્કૃષ્ટથી ત્રણ મહિના છે. જઘન્યથી તે બધી પ્રતિમાઓને કાળ એક દિવસ વગેરે છે. આ હકીક્ત અંતે (૩૮મી ગાથામાં) કહેવાશે. (૧૩) પષધ (પ્રતિમા )નું સ્વરૂપ - पोसेइ कुसलधम्मे, जं ताऽऽहारादिचागणुट्टाणं । इह पोसहो ति भण्णति, विहिणा जिणभासिएणेव ॥१४॥
સવોક્ત જ વિધિથી આહાર, દેહસત્કાર, અબ્રહ્મ અને (સાવદ્ય) વ્યાપાર એ ચારને ત્યાગ કર એ પૌષધ છે.
પ્રશ્ન:- આહારદિના ત્યાગને પૌષધ કેમ કહેવામાં આવે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org