________________
ગાથા-૪૭
૩ ચેત્યવંદનવિધિ—પંચાશક
: ૨૩૯ :
=
====
+અભવ્ય= અગ્ય છ શુભ ફળને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળા ચિંતામણિ, કલ્પવૃક્ષ આદિને પણ પામી શકતા નથી, તે (મોક્ષનું બીજ હેવાથી) પ્રધાન એવી પહેલા-બીજા પ્રકારની વંદનાને કેવી રીતે પામી શકે ? અર્થાત્ ન જ પામી શકે (૪૬) ત્રીજા-ચોથા પ્રકારની વંદનાને ભવ્યો પણ બધા જ ન પામી શકે –
भन्या वि एत्थ णेग, जे आसन्ना ण जाइमेत्तणं । जमणाइ सुए भणियं, एयं ण उ इट्टफलजणगं ॥ ४७ ॥ અભષે આ પ્રધાન વંદનાને પામી શકતા નથી, એનો અર્થ એ થયો કે ભવ્ય પામી શકે છે. પણ બધા જ ભળ્યો આ વંદનાને પામી શકતા નથી. ભવ્યમાં પણ આસન્નભવ્યો જ આ વંદનાને પામી શકે છે જાતિથી (=સ્વભાવથી) ભવ્ય હોવા છતાં જે દ્વરભવ્ય છે તે જ આ વંદનાને પામી શકતા નથી. કારણ કે આગમમાં ભવ્યત્વને અનાદિકાલીન કહ્યું છે. અર્થાત્ જીવમાં ભવ્યત્વ અનાદિકાળથી છે. પણ તે (-ભવ્યત્વ) સત્તા માત્રથી મોક્ષ પમાડનારું નથી. જે ભવ્યત્વ સત્તામાત્રથી મોક્ષ પમાડનારું હોય તે બધા જ ભવ્ય જીવોને મોક્ષ થઈ
+ અભવ્ય શબ્દને અર્થ ચિંતામણિના પક્ષમાં અયોગ્ય પુણ્યરહિત એવો કરવો, અને વંદનાના પક્ષમાં અભવ્ય છ કરો.
૪ આસન્ન એટલે નજીક. જે મેક્ષની નજીક છે, એટલે કે થોડા જ કાળમાં મોક્ષ પામવાના હેય છે તે જીવો આસન્નભવ્ય છે. જેને સંસારકાળ એક પુદ્ગલ પરાવર્તથી વધારે ન હોય તે આસન ભવ્ય. જેને સંસારકાળ એક પુલ પરાવર્તથી વધારે હોય તે દૂરભવ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org