________________
ગાથા-૪૨-૪૩ ૭ જિનભવનવિધિ—પંચાશક : ૪૫૧
ન આપે તે ઘેર હિંસા આદિથી ભારે અનર્થ થાય. ઘોર હિંસાદિથી થતા ભારે અનર્થને દૂર કરવામાં થતો કંઈક પાપરૂપ અનથ/-નુકશાન) પરમાર્થથી અર્થ(લાભ)જ છે. (૪૧)
યતનાધારને ઉપસંહાર – एवं निवित्तिपहाणा, विष्णेया भावओ अहिंसेयं । લાવો ૩ વિMિા, પૂજ્ઞાનિયાવિ રમેવ | કર .
આ પ્રમાણે ભૂમિશુદ્ધિ આદિ વિધિપૂર્વક યતના રાખનારની જ જિનમંદિરનિર્માણ સંબંધી પ્રવૃત્તિ અધિક જીવહિંસાથી નિવૃત્તિ કરાવનારી હોવાથી પરમાર્થથી અહિંસા છે. તથા જિનપૂજા, જિનમહોત્સવ આદિ સંબંધી પ્રવૃત્તિ પણ અધિક જીવહિંસાથી નિવૃત્તિ કરાવનારી હોવાથી પરમાર્થથી અહિંસા છે. અથવા આ ગાથામાં પૂર્વાર્ધથી ભગવાનની શિક્ષણ પ્રવૃત્તિને અહિંસા કહી છે અને ઉત્તરાર્ધથી જિનભવનની પ્રવૃત્તિને અહિંસા કહી છે. તે આ પ્રમાણે - આ પ્રમાણે ભગવાનની શિલ્પાદિશિક્ષણ સંબંધી પ્રવૃત્તિ અધિક દેથી નિવૃત્તિ કરાવનારી હેવાથી પરમાર્થ થી અહિંસા છે. તથા ભૂમિશુદ્ધિ આદિ વિધિપૂર્વક યતના રાખનારની જ જિનપૂજા, જિનમંદિર નિર્માણ આદિ સંબંધી પ્રવૃત્તિ પણ અધિક જીવહિંસાથી નિવૃત્તિ કરાવનારી હોવાથી પરમાર્થથી અહિંસા છે. (૪૨) જિનમંદિર બંધાયા પછીની વિધિઃणि फाइऊण एवं, जिणभवणं सुंदरं तहिं विंबं । विहिकारियमह विहिणा, पइट्ठवेजा लडं चेव ॥ ४३ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org