________________
ગાથા-૮થી૧૧
૫ પ્રત્યાખ્યાન-પંચાશક : ૩૨૫ :
૧
,
પ્રત્યાખ્યાન દિવસચરિમ પ્રત્યાખ્યાન છે. તથા જીવનના કેટલા ભાગ સુધી, અર્થાત્ જીવનપર્યત, કરાતું પ્રત્યાખ્યાન ભવચરિમ છે. દિવસચરિમ પ્રત્યાખ્યાનથી સૂર્યાસ્ત સુધી કે બીજા દિવસના સૂર્યોદય સુધી બે, ત્રણ કે ચાર પ્રકારના આહારને ત્યાગ થાય છે. ભાવચરિમ પ્રત્યાખ્યાનથી જીવનપર્યત ત્રણ કે ચાર પ્રકારના આહારનો ત્યાગ થાય છે.
પ્રશ્ન:- તિવિહાર એકાસણું વગેરે કર્યા પછી દિવસચરિમ તિવિહારનું અને ચેવિહાર એકાસણું વગેરે કર્યા પછી દિવસચરિમ વિહારનું પ્રત્યાખ્યાન નિરર્થક છે. કારણ કે દિવસચરિમ પ્રત્યાખ્યાનમાં જેનો ત્યાગ કરવાનું છે તેને ત્યાગ એકાસણા વગેરેમાં થઈ ગયો છે.
ઉત્તર – વાત સાચી છે. છતાં એકાસણું આદિ કર્યા પછી દિવસચરિમ તિવિહાર આદિ પ્રત્યાખ્યાનની જરૂર છે. કારણ કે એકાસણા વગેરેમાં આઠ આગારો છે. દિવસચરિમમાં ચાર આગારો છે. પ્રત્યાખ્યાનમાં જેટલા આગારો ઓછા તેટલો લાભ વધારે. આથી જ ( = પ્રત્યાખ્યાનમાં જેટલા આગારે એાછા તેટલો લાભ વધારે એ નિયમથી ) એકાસણું વગેરે પ્રત્યાખ્યાન સાધુઓને દિવસ પૂરતું (સૂર્યાસ્ત સુધી) જ હોય છે. સૂર્યાસ્ત પછી સાધુઓને રાત્રિ ભોજન વિરમણ રૂપ છઠ્ઠા વ્રતથી ચાર આહારને ત્યાગ થાય છે.
એકાસણું વગેરે તિવિહાર કર્યા પછી પાણીને પણ ત્યાગ કરવો હોય તો દિવસચરિમ સાર્થક છે. કારણ કે ત્રણ આહારને ત્યાગ હતા તેના બદલે હવે ચાર આહારનો ત્યાગ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org