________________
ગાથા-૩૨
૫ પ્રત્યાખ્યાન-પંચાશક
: ૩૫૫ :
ચારના ભેદોમાં (જેમ કે અશનના અનાજ, પકવાન્ન, શાક વગેરે ભેદે છે, ખાદિમના સેકેલાં અનાજ, મે, ફલ વગેરે ભેદે છે) પણ પ્રત્યાખ્યાન વિરોધવાળું નથી, અર્થાત મુનિઓ અમુક જ પ્રકારનો અશન લઈશ, અમુક જ પ્રકારનું પાણી લઈશ વગેરે દ્રવ્ય અભિગ્રહ કરે છે તેમાં વિવેકીઓને વિરેાધ જણાતું નથી. કહ્યું છે કે – लेवडमलेवडं वा, अमुगं दव्वं च अञ्ज घेच्छामि । अमुगेण व दम्वेण उ, अह दव्याभिग्गहो नाम ॥२९८॥
-પંચવટ હું આજે લેપવાળો (રાબડી વગેરે) જ આહાર લઈશ, અથવા લેપ વિનાને (શેકેલા ચણા વગેરે) જ આહાર લઈશ, અથવા ખાખરા વગેરે અમુક જ દ્રવ્ય લઈશ, અથવા કડછી વગેરેથી વહોરાવશે તો જ આહાર લઈશ-આવા પ્રકારને અભિગ્રહ દ્રવ્ય અભિગ્રહ છે.”
તાપર્યવિવેકીઓને જેમ જિનેશ્વર ભગવાનની અનુજ્ઞા લેવાથી તિવિહાર પ્રત્યાખ્યાનમાં વિરોધ જાતે નથી, તેમ મુનિઓ અમુક જ અશનાદિ આહાર લઈશ એમ દ્રવ્ય અભિગ્રહ કરે છે તેમાં પણ વિરોધ જણાતું નથી.
પ્રશ્ન-આમાં વિવેકીઓને વિરોધ કેમ જણાતું નથી ?
ઉત્તર:-આ વિષય (કુતિ =) સુક્ષમ હેવાથી વિવેકી (લાભાલાભનો વિચાર કરવાની શક્તિવાળાઓ) જ તેનાથી થતા લાભને સમજી શકે છે. અવિવેકીઓને આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org