________________
ગાથા-૮થી૧૧ ૫ પ્રત્યાખ્યાન–પંચાશક : ૩૧૧ :
-
ઉત્તર – નવકારશી કાલ પ્રત્યાખ્યાન છે. એટલે કે કાળવાચી વિશેષ લેવું જોઈએ.
પ્રશ્ન:- નવકારશી કાળ પ્રત્યાખ્યાન છે એ કેવી રીતે સિદ્ધ થાય છે ?
ઉત્તર- નવકારશી પ્રત્યાખ્યાનના સૂત્રમાં ૩૪ સૂરસૂર્યોદયાત “સૂર્યોદયથી પ્રત્યાખ્યાન કરું છું” એ પાઠ છે. સૂર્યોદયથી પ્રત્યાખ્યાન કરું છું તે પ્રશ્ન થાય કે સૂર્યોદયથી ક્યાં સુધી? એની કોઈ મર્યાદા તો હોવી જોઈએ ને ? એટલે અહીં મર્યાદા બતાવનાર કોઈ કાળવાચી જ શબ્દ વિશેષ રૂપે લેવું જોઈએ. આથી મુહૂર્ત શબ્દ અધ્યાહાર સમજી શકાય છે.
પ્રશ્ન – નવકારશી કાળ પ્રત્યાખ્યાન છે એનાથી તો કેઈ કાળવાચી વિશેષ્ય અધ્યાહાર છે એટલું સિદ્ધ થાય છે. પણ મુહૂર્ત જ અધ્યાહાર છે એ શી રીતે સિદ્ધ થાય? એક ઘડી કે બે મુહૂર્ત વગેરે અધ્યાહાર કેમ ન હોય ? * ઉત્તર- કાળ પ્રત્યાખ્યાનમાં જેમ કાળ વધારે તેમ આગારે વધારે હોય છે, અને જેમ કાળ છે તેમ આગારો ઓછા હોય છે. આમાં પરિસીના પ્રત્યાખ્યાનથી આગારો ઓછા છે એટલે તેનાથી ઓછો કાળ હે જોઈએ અને શાસ્ત્રોમાં કાળ પ્રત્યાખ્યાનમાં મુહૂર્તથી ઓછું પ્રત્યાખ્યાન જણાવ્યું નથી.* તથા જેમ પોરિસીના પ્રત્યાખ્યાનમાં
૪ આથી એક ઘડી કેમ નહિ ? એ પ્રશ્નનું સમાધાન થઈ જાય છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org