________________
ગાથા-૧૦ ૩ ચૈત્યવંદનવિધિ–પંચાશક : ૧૯૭૯
માન, આનંદ અને સંસારભય ભાવવંદનાનાં લક્ષણ છે. કારણ કે સનાથનો ટૂચ=ઉપયોગને અભાવ દ્રવ્ય છે એવું શાસ્ત્રવચન છે, આમાં ઉપગ સામાન્ય લક્ષણ છે. બાકીના લક્ષણે તેનાં (ઉપયોગરૂપ સામાન્યના) વિશેષરૂપ છે. (૯) બીજી રીતે દ્રવ્ય-ભાવવંદનાનાં લક્ષણો –
वेलाइविहाणमि य, तरगयचित्ताइणा य विष्णेओं।
तव्वुढिभावमावेहि तह य दम्वेयरविसेसो ॥१०॥ - કોલ, વિધિ, તગતચિત્ત વગેરેથી તથા ચિત્યવંદનવૃદ્ધિના ભાવથી અને અભાવથી દ્રવ્ય અને ભાવ વંદનામાં ભેદ છે. અર્થાત્ સૂત્રોક્ત નિયત સમયે ચિત્યવંદન કરવું, નિસાહિત્રિક આદિ વિધિપૂર્વક ચિત્યવંદન કરવું, ત્યવંદન કરતાં તેમાં જ ઉપયોગ રાખ, ચિત્યવંદનની વૃદ્ધિ માટે સૂત્રો શુદ્ધ અને શાંતિથી બેલવો (અર્થાત્ ચિત્યવંદન ઉતાવળથી જલદી ના પતાવી દેતાં શાંતિથી કરવું) વગેરે ભાવવંદનનાં લક્ષણ છે. નિયત સમયે ચિત્યવંદન ન કરવું, નિસાહિત્રિક આદિ વિધિનું પાલન ન કરવું, ચિત્યવંદનમાં ઉપયોગ ન રાખવો, સૂત્રો જલદી જલદી ગમે તેમ બોલીને ચિત્યવંદન જલદી પતાવી દેવું વગેરે દ્રવ્યવંદનાનાં લક્ષણ છે. ચિત્યવંદનનો વિધિ નીચે પ્રમાણે છે. तिणि निसीहिय तिण्णि य, पयाहिणा तिणि चेव य पणामा। तिविहा पूया य तहा, अबस्थतियभावणा चेव ॥ १ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org