________________
: ૧૦૮ : ૧ શ્રાવકધર્મ-પંચાશક ગાથા-૩૬-૩૭–૩૮
-
-
ઉત્તર- હા. બીજાને આગ્રહ વગેરે કારણેથી વિરતિના પરિણામે થયા વિના પણ વ્રત લેનારા હોય. અનંતીવાર દ્રવ્યથી સાધુપણું અને શ્રાવકપણું લીધું એમ શાસ્ત્રમાં સંભળાય જ છે. (૩૫)
પ્રયત્નથી વિરતિના પરિણામો થતા હોવાથી અને પ્રયત્ન વિના વિરતિના પરિણામો નાશ પામતા હોવાથી સદા નીચે મુજબ પ્રયત્ન કરવો જોઈએ.
(૧) લીધેલાં વ્રતનું સદા સ્મરણ કરવું જોઈએ. (૨) લીધેલાં વ્રતો ઉપર બહુમાન રાખવું જોઈએ. (૩) વ્રતના પ્રતિપક્ષ મિથ્યાત્વ, પ્રાણિવધ આદિ ઉપર જુગુસાભાવ રાખો જોઈએ. (૪) સમ્યક્ત્વાદિ ગુણેના અને તેના પ્રતિપક્ષ મિથ્યાત્યાદિ દોષોના પરિણામની વિચારણા કરવી જોઈએ. અર્થાત સમ્યક્ત્વ આદિ ગુણોથી થતા લાભની અને મિથ્યાત્વાદિ દેષોથી થતા નુકશાનની વિચારણા કરવી જોઈએ. (૫) તીર્થ - કરની ભક્તિ કરવી જોઈએ. (૬) સુસાધુઓની સેવા કરવી જોઈએ. (૭) જે ગુણોનો સ્વીકાર કર્યો હોય તેનાથી અધિક ગુણની ઈરછા રાખવી જોઈએ. જેમકે- સમ્યક્ત્વનો સ્વીકાર કર્યો હોય તે દેશવિરતિની ઈચ્છા રાખવી જોઈએ. દેશવિરતિને સ્વીકાર કર્યો હોય તો સર્વવિરતિની ઈચ્છા રાખવી જોઈએ. (૩૬-૩૭)
આ રીતે પ્રયત્ન કરવાથી નહિ થયેલા પણ સમ્યક્ત્વના અને વ્રતના પરિણામો થાય છે, અને થયેલા પરિણામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org