________________
૨૩૦
બધામૃત
પણ હિતકારી બને છે તેનું દૃષ્ટાંત તમે બનેલ છે. માહાસ્ય તે એ જ્ઞાની પુરુષનું છે. જેમ શ્રી પાર્શ્વનાથ ભગવાને કમઠ ધૂણી તપતું હતું તેમાંના લાકડામાંથી સાપ ને સાપણને બળતાં કાઢક્યાં અને મંત્રનું સ્મરણ દીધું તે તેટલા દુઃખમાં પણ ભગવાનનાં દર્શન અને તેમની આજ્ઞાથી ધરણેન્દ્ર પદ પામે તે ભાવપુરુષાર્થ કરીને મહાપુરુષના મંત્રને પ્રભાવ પ્રગટ કરનાર બન્યાં તેવી જ સ્થિતિ તમારી અત્યારે સંભળાય છે પણ પરમપુરુષનાં દર્શન જેને થયાં છે, જેણે તેમના બેધનું પાન ઘણા દિવસ સુધી કર્યું છે, તથા તે મોક્ષમાર્ગને આપનાર સપુરુષ ઉપર દઢ વિશ્વાસ જેના હદયમાં દઢ થયો છે, ધર્મ આરાધવાની અને આ સંસારનાં સર્વ દુઃખોથી છૂટી જવાની જેને મનમાં અત્યંત અભિલાષા છે તેને જે જે દુખ આવે તે પણ આત્માને હિતકર્તા નીવડે છે. મોક્ષગામી શ્રી ગજસુકુમાર મુનિની આપના જેટલી જ ઉંમર હતી પણ દઢતા ધર્મમાં કેટલી બધી હતી કે માથા ઉપર કાદવની પાળ કરી ધગધગતા અંગારા ભર્યા પણ કાઉસગ્નમાં જ રહ્યા, કેઈને પિતાને શત્રુ ન ગયે. પિતાનાં બાંધેલાં પોતાને ભેગવવાં પડે છે તેમાં કઈ વાંક નથી; ઊલટો ગુણ માન્યું કે મારા સસરાએ મને મોક્ષની પાઘડી પહેરાવી. આવાં દુખ તે આ ભવમાં આપણે માથે આવે એ સંભવ એક છે, પણ હિમ્મત તેટલી હોય તે જ મેક્ષરૂપ પરમ ફળ પ્રાપ્ત થાય. જે ગુણે પરમકૃપાળુદેવ આદિ મહાપુરુષોએ પ્રગટાવી ટકાવી રાખ્યા તે તે ગુણે આપણે બધાએ પ્રાપ્ત કર્યા વગર મોક્ષ થાય નહીં કે મુમુક્ષતા પણ ટકે નહીં. માટે ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા કે ખમી ખૂદવું, સહનશીલતા રાખવી, ભૂંડું કરે તેનું પણ ભલું થજે એવી અંતરમાંથી આશિષ આપવી. કેઈની સાથે બેલી બગાડવું નહીં, તેમ પિતાની ટેક તજવી નહીં. “થાવું હોય તે થાજો રૂડા રાજને ભજીએ.” એવા ભાવ હૃદયમાં રાખી સર્વને રાજી રાખી, તાળી તાળી દઈ આ સંસારથી છૂટી જવું છે. પથરા નીચે હાથ આવ્યું હોય તે કળે કળે કરીને કાઢી લે. ઉતાવળે ખેંચવા જાય તે આંગળીઓ તૂટી જાય. ધીરજનાં ફળ મીઠાં છે; કઈ ગમે તેમ બેલે, આપણી વાત કરે તે સાંભળી આપણું ભાવ બગડવા ન દેવા; મનમાં કંઈ ક્રોધ જેવું કે ઓછું આવે તે ભૂલી જવું, સંકોમાં તણાઈ ન જવું પણ મંત્રના સ્મરણમાં મનને જોડી દેવું.
વ્યાધિ પીડા કર્મને લઈને ખાટલામાં પડયા પડયા ભોગવવી પડે છે, તેવા જ આ કર્મના યોગે સંગે આવી પડ્યા છે, તેમાં સમભાવ છે તેથી વધારે બળવાન બનાવી પરમકૃપાળુદેવને શરણે આ ભવ પૂરે કરે છે એ ચૂકવા જેવું નથી. જ્યાં સુધી શરીરમાં ભાન હોય ત્યાં સુધી તે પરમ પુરુષનું મને શરણું છે તે મારે ફિકર કરવા જેવું કશું નથી એ દઢ નિશ્ચય કર્તવ્ય છે. “ધીંગ ધણી માથે કિયા રે કુણ ગંજે નર બેટ-વિમલજિન દીઠાં લેયણ આજ.”
એ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૨૨૬
અગાસ, તા. ૯-૧૧-૪૦ તત્ સત
કાર્તિક સુદ ૧૦, ૧૯૯૭ હરિગીત – તૃષા વિના પાણી ન બળે, ભૂખ તે ભજન ભલું,
તૃષ્ણારૃપી અગ્નિ બળે, તેનું શમન, સુખ - થીગડું;