Book Title: Bodhamrut Part 3
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 760
________________ પત્રસુધા ૭૩૫ દુઃખ વેદવામાં ઘણું બળ મળશે, ચિત્ત પુરુષનાં વચનોમાં ગૂંથાયેલું રહેશે અને તેમાં આનંદ આવશે તે પરમ દુર્લભ એવી સતશ્રદ્ધારૂપ આત્મગુણ પ્રગટવાનું નિમિત્ત થશે. માટે મનને ન ગમે તે પણ પરાણે પણ જે બળ કરીને ચિત્તને તે વચનેમાં રોકવામાં, વિચારવામાં, બલવામાં, સાંભળવામાં, ઈચ્છવામાં, ભાવના કરવામાં કાળજી રાખશે તે તે અભ્યાસ પડી જશે અને તે જ સુખરૂપ લાગશે. મહામંત્રરૂપ તે ગાથાઓ છે, શ્રી આત્મસિદ્ધિના સારરૂપ છે, સમાધિમરણ પ્રાપ્ત કરાવે તેવું તેમાં બળ છે, એવું સપુરુષ પાસેથી સાંભળ્યું છે, શ્રધ્યું છે તે જ તમને માત્ર તમારા આત્મહિતને અર્થે જ જણાવું છું. તે હીરાના હાર કરતાં પણ અમૂલ્ય ગણી તેટલી ગાથાઓ કઠે કરી ફેરવતાં રહેવા ભલામણ વારંવાર કરું છું, અગાસ, તા. ૫-૮-૫૧ તત્ સત્ શ્રાવણ સુદ ૩, રવિ, ૨૦૦૭ સત્સંગની અનુકૂળતા એ મુખ્ય કારણ જાણી ત્યાં રહ્યા હો તે સારું છે. આજીવિકા પૂણિયા શ્રાવકની પેઠે પ્રારબ્ધાનુસાર બની રહેશે, પણ જે ભક્તિભાવની વૃદ્ધિ કરશે તે કમાણી પરભવમાં સાથે આવશે, સમાધિમરણનું કારણ થશે. ચિત્તને સમજાવીને ભટકતું અટકાવશોજી. મનથી ભાવના સારી કરવી, મનમાં હોય તેવું જ વચનમાં આવે તેવી સરળતા રાખવી તથા વચનમાં બોલાય તેવું વર્તન કરવાને યથાશક્તિ પુરુષાર્થ થાય એ સજજનતાનું લક્ષણ છે. તે લક્ષ રાખી વર્તવાનું કરશો તે પહેલાં તમને અસ્થિર ચિત્તવાળા જાણતા હતા તે પણ પિતાને અભિપ્રાય ફેરવી તે હવે મકકમ બને છે એમ માનશે. બીજાના અભિપ્રાય માટે જીવવાનું નથી. પણ બીજાને વિશ્વાસ ન બેસે તેવું આપણું વર્તન હોવું ન ઘટે. વાચન, વિચાર બધાની સાથે કરતા રહેશે અને વખત મળે તો તમારી પાસે નેટો, પુસ્તક હોય તેને પિતાને માટે પણ અભ્યાસ કર્તવ્ય છેજી. શાંતિ ચિત્તની વધે તેમ વિચારણા કર્તવ્ય છે. અધમાધમ અધિકે પતિત, સકળ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ?” “પૂર્વ પુણ્યના ઉદયથી, મળે સદ્દગુરુગ; વચનસુધા શ્રવણે જતાં, થયું હદય ગતશેગ. નિશ્ચય એથી આવિયે, ટળશે અહીં ઉતાપ; નિત્ય કર્યો સત્સંગ મેં, એક લક્ષથી આપ.” બધા મળી વિચારોની આપ-લે કરે તેમાં પરમપુરુષ શ્રીમદ્ રાજચંદ્રની અપૂર્વતા, આ કાળમાં તેમને મહદ્ ઉપકાર અને તેમના શરણથી જીવની જાગૃતિને સંભવ છે આ ભાવ વિશેષ વિચારાય તેમ ભલામણ છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૧૦-૮-૫૧ તત્ સત્ શ્રાવણ સુદ ૮, શુક્ર, ૨૦૦૭ “દુઃખ દેહગ દરે ટળ્યાં રે, સુખ સંપદશું ભેટ; ધીંગ ધણી માથે કિયા રે, કુણ ગંજે નર પેંટ– વિમલજિન, દીઠાં લેયણ આજ મારાં સંધ્યાં વાંછિત કાજ વિમલજિન”

Loading...

Page Navigation
1 ... 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824