________________
૭૮૮
બધામૃત રાખે તે પણ કલ્યાણ થાય છે. ત્રીજી એગદષ્ટિમાં શુશ્રુષા એટલે “શ્રવણ-મહા શેધ (સત્ સાંભળવાની ઈચ્છા) નામને ગુણ પ્રગટે છે ત્યારથી શ્રવણને જોગ ન હોય તે પણ તેની ઉત્કટ ઈરછાથી સાંભળવાને જેગ મળે લાભ થાય તે લાભ વગર શ્રવણે થાય છે. હાલ તે તમે ઈચ્છે છે તે કરતાં જણાવ્યા પ્રમાણે વર્તવામાં વિશેષ લાભ સમજાય છેજી. % શાંતિઃ
૧૦૦૬
અગાસ, તા. ૧૭-૮-૫૩ તત છેસતું
શ્રાવણ સુદ ૭, સોમ, ૨૦૦૯ તીર્થશિરોમણિ સત્સંગધામ, સમાધિમરણના સાધનરૂપ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસ સ્ટેશનથી લિ. પુરુષના ચરણકમળની સેવાને ઈચ્છક બાળ ગોવર્ધનના જય સદ્ગુરુવંદન સ્વીકારવા વિનંતી છે. આપ કઈ પ્રત્યે આ વર્ષમાં જાણતાં અજાણતાં માઠું લાગે તેવું કહેવાયું હોય, લખાયું હોય, અસભ્યતાથી વર્તાયું હોય તેની સંવત્સરી સંબંધી ઉત્તમ ક્ષમા આપવા વિનંતી છે જી.
સત્સંગને રંગ લાગે તેટલું પુણ્ય તમને પ્રાપ્ત થયું, ત્યાં તે વિદેશ જવારૂપ વિદ્ધ ઉદયમાં આવ્યું તે પૂર્વકર્મની રચના છે. પણ વારંવાર સત્સંગના ભાવ કરવા તે હજી તમારા હાથની વાત છે. ફરી તેવા પુણ્યને સંચય થયે હવે તે સત્સંગ પ્રાપ્ત થવા ગ્ય છે. સત્સંગના વિયેગમાં અસત્સંગથી દૂર રહેવું, નિવૃત્તિ મેળવવા પુરુષાર્થ કરે, નિવૃત્તિ મળે ત્યારે સત્સંગે થયેલી આજ્ઞા – મુખપાઠ કરવાની, ભક્તિસ્મરણ કરવાની, સદાચાર પાળવાની – અડગપણે પાળવી. સત્સંગે થયેલી આજ્ઞા, સંસાર પ્રત્યે ઉદાસીનભાવ રાખી, આરાધે તે સત્સંગને જ ઉપાસે છે, પછી ભલે તે હજારો માઈલ દૂર હોય તે પણ તે આશ્રમમાં જ છે તે વિચારવું.
“નાઝતી ગાવિત્રાસ, માસી મુવનવાસ, कालसौ कुटुंबकाज, लोकलाज लारसी; सीठसौ सुजश जाने, बीठसौ बखत माने,
ऐसी जाकी रीति ताही, बंदत बनारसी।" “જગતના ભેગવિલાસને (માજશેખને) મૂંઝાવારૂપ જાળ સમાન જાણે છે, ઘરવાસને (વીસે કલાક નિર્વિધ્રપણે ભક્તિ કરવાની અનુકૂળતા ન હોવાથી ઘર કુટુંબમાં વસવું તેને) ભાલા સમાન (દુઃખદાયી) જાણે છે, કુટુંબનાં કાર્યને કાળ એટલે મૃત્યુ સમાન જાણે છે (આત્માને ઉદ્ધાર કરવા મનુષ્યભવ મળે છે, તે કુટુંબનાં કાર્યોમાં જેટલે અલેખે જાય છે તેટલું મરણ પાસે આવતું ગણે છે), લેકમાં લાજ (આબરૂ) વધારવાની ઈચ્છાને મુખની લાળ સમાન (તજવા જેવી) જાણે છે, કીર્તિની ઈચ્છાને નાકના મેલ જેવી (લીંટ નાકમાં સંઘરવા કઈ ન ઇચ્છે તેમ કીર્તિની ઈરછા તજવા જેવી જાણે છે અને પુણ્યના ઉદયને જે વિષ્ટ સમાન (નહીં ઈચ્છવા ગ્યો જાણે છે, એવી જેની રીતિ હોય તેને બનારસીદાસ (કવિ) વંદના કરે છે.” (૭૮૧)
આ પત્ર સ્ટીમરમાં અને તે પહેલાં તથા પછી વારંવાર વિચારી, મહાપુરુષની દશા ગૃહસ્થ અવસ્થામાં પણ કેવી હોય છે ? તે આપણને પ્રાપ્ત થાઓ, પરમકૃપાળુદેવની તેવી જ દશા હતી માટે આપણે તેમને પરમાત્મા માની પૂજીએ છીએ, તેમને પગલે પગલે ચાલી આપણે પણ તેમના જેવા થવું છે એવી મહત્ત્વાકાંક્ષા પિતા રહેવા ભલામણ છે. આપણાથી