Book Title: Bodhamrut Part 3
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 713
________________ ૬૮૮ બેધામૃત તીર્થકર બની ઘણું જીવોને તારી પિોતે ક્ષે જશે. આ એક ધાર્મિક ચરિત્ર શ્રી શ્રેણિક મહારાજાનું કહ્યું. હવે તમારા પ્રશ્નનો ઉત્તર લખું છું – છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ – મૂળ એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ – મૂળ” આમાં જણાવ્યા પ્રમાણે દેહ નાશવંત છે, આત્મા અવિનાશી છે. ગમે તેટલી દવાઓ ખાવા છતાં દાક્તરને પોતાને જ મરવું પડે છે, તે બીજાને તે ક્યાંથી બચાવી શકશે? દેહ છોડી એક વાર જરૂર જવું છે. તે દેહ રાખવા કરેલાં પાપ સાથે આવશે, પણ દેહ સાથે નહીં આવે. ભક્તિ કરનારને એટલી શ્રદ્ધા હોવી જોઈએ કે પાપ કરી પછી ભક્તિ કરવાની ઈચ્છા કરતાં પાપ જ ન કરવું એ સારું છે. પાપ કરી પછી પૈસા કમાઈ દાન કરવું તેના કરતાં દાન ન થાય તે ભલે, પણ પાપ તે ન જ કરવું એ બુદ્ધિમાં બેસે તેવું છે. હાથ ખરડીને પછી છે તેના કરતાં બગાડવે જ નહીં તે સારું છે ને? એક પીપા ભગતે કહ્યું છે કેઃ “પીપા, પાપ ન કીજિયે, તે પુણ્ય કિયા વાર હજાર.” દાક્તરે દેહને અર્થે સલાહ આપે છે કારણ કે દેહ એ જ પિતાનું સ્વરૂપ તે માને છે. તમે આત્માને ઉદ્ધાર થાય તે માટે નિયમ લીધે છે, તેથી દેહને અર્થે આત્માનું અહિત ના થાય તેમ વર્તવું ઘટે છે. ઘણું ભવ દેહને અર્થે આત્મા ગાળે છે, હવે આટલે ભવ જે આત્માને અર્થે ગળાશે તે અનંત ભવનું સાટું વળી રહેશે. પૂર્વે પાપ કર્યું છે તેના ફળરૂપ માંદગી આવે છે. તે ટાળવા ફરી પાપવાળી દવા કરે તે ફરી માંદગીને નેતરવા જે ધંધે થાય છે તે વિચાર કરી જે તે યથાર્થે લાગશે. પાપવાળી દવાથી મટવાની ગેરંટી કોઈ આપી શકે નહીં, પણ પાપ થાય તે તે ચોકકસ છે, દવામાં પણ પાપ તે પાપ જ છે. માટે જે વસ્તુને ત્યાગ કર્યો છે, પરમકૃપાળુદેવની સાક્ષીએ જીવતા પર્યત જે જે વસ્તુઓ ત્યાગી છે તે દવા માટે તે શું, પણ સ્વમામાં પણ તેને ઉપયોગ કરવાને ખ્યાલ ન કરે એ સાચા શૂરવીરનું લક્ષણ છે. ઘણું દવાઓ ખાનારા ઘણું માંદા જોઈએ છીએ, એટલે દવાઓથી જ મટતું જ હોય તે દવાખાનાં અને દાક્તરો વધે તેમ રેગ વધવા ન જોઈએ પણ નાબૂદ થવા જોઈએ, તેને બદલે વધારે વધારે રોગને પ્રચાર થતે દેખાય છે, તે પાપનું પરિણામ છે એમ સમજી બને તેટલું સહન કરતાં શીખવું. મન દઢ ન હોય તે નિર્દોષ દવાઓ અજમાવી જેવી, પણ પ્રત્યક્ષ પાપ જણાય છતાં જીવને દેહને અર્થે આત્માને ગરદન મારવા જેવું તે ન જ કરવું. અજાણતાં કોઈ દવા કે ટીકડીમાં તેવું અભક્ષ્ય આવી જાય તેને માટે લાચારી છે, પણ જાણીજોઈને તેવી ટીકડી કે શીશીઓ પણ વાપરવી ઘટતી નથી. - લીધેલા નિયમ કેઈ કારણે તેડવા નથી એ દઢ નિશ્ચય કર્તવ્ય છે એ જ ટૂંકામાં ઉત્તર છે. એક તે પાપી ચીજોમાં થતું પાપ લાગે અને પરમાત્માની સાક્ષીએ લીધેલું વ્રત તૂટે કે આજ્ઞા ન પળે કે ભંગ થાય એ બીજું પાપ સાથે લાગે છે, અને તે મોટો અધર્મ છે. માટે મથાળે કડી લખી છે તે વિચારી પ્રાણ જાય તે પણ આજ્ઞારૂપ ધર્મને ભંગ ન થાય તેમ મુમુક્ષુ વિચારવાનો જીવ તે વર્તે. હાલ એ જ. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ

Loading...

Page Navigation
1 ... 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824