________________
૬૧૨
બેધામૃત પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્દગુરુપાય;
દીઠા નહિ નિજ દોષ તે, તરીએ કેણ ઉપાય?” આમ પિતાના દોષ દેખી સદ્ગુરુની ભક્તિમાં વૃત્તિ રાખી શુદ્ધ ચૈતન્યસ્વરૂપ પ્રભુ ન ભુલાય, તેની જ લય લાગે, જગત, દેહ અને વેદની ભુલાઈ જાય તેમ કર્તવ્ય છે. “પરમ શાંતિપદને ઈચ્છીએ એ જ આપણે સર્વસમ્મત ધર્મ છે.”(૩૭) ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ
ook આપની તબિયત ઘણું દિવસથી અસ્વસ્થ રહ્યા કરે છે એમ સાંભળી ધર્મ પ્રેમથી ખેદ થ, પણ નિરૂપાયતા જાણી તે શમાવ્યો છે જ. રૂડા ને પણ વિશેષ વેદનાને વખતે ધીરજ રાખવી કઠણ થઈ પડે છે, તે પણ તેવા પ્રસંગમાં ગફલતમાં રહેવાથી આકરાં કર્મ વખતે બંધાઈ જાય છે, માટે મુમુક્ષુ જીવે તે બહુ સાવધાની રાખવી યોગ્ય છે.જી. પૂર્વ કર્મ ભોગવતાં કંટાળો કે ખેદ આણ ઘટતું નથી. “ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં એક્ષપાટણ સુલભ જ છે (૮૧૯) એમ પરમકૃપાળુદેવે જણાવ્યું છે તે વારંવાર વિચારી, છૂટવાની ભાવના ક્ષણે ક્ષણે વધે અને ઉપશમભાવ, નિઃસ્પૃહભાવ, સુખદુઃખ પ્રત્યે સમભાવ વિશેષ વિશેષ વર્ધમાન થાય તેવી વિચારણામાં વૃત્તિ રાખવી ઘટે છે. જીવે અજ્ઞાનભાવે બાહ્ય સુખની લાલસામાં લપેટાઈ જે પાપ ઉપાર્જન કર્યા તેનું આ ફળ આવ્યું છે, માટે હવે આ સંસારનું સ્વરૂપ જ્ઞાની પુરુષોએ વર્ણવ્યું છે તે જ પ્રકારે મને વિચારવા દે, નિર્ધારવા દે એમ મનને સમજાવી, અનાથી મુનિ, ગજસુકુમાર આદિ મહાત્માઓએ આ શરીરને અશાતાનું ઘર જાણ તેના સુખની ઈચ્છા છેડી, આત્માના ઉદ્ધાર અર્થે જ્ઞાની પુરુષોએ દીધેલી શિખામણ અવધારી, શિરસાવંઘ જાણી, ધીરજ ધરી આજ્ઞા ઉપાસી છે, તેથી તેમણે આત્માને ઉદ્ધાર કર્યો, તે જ પ્રસંગ મારા જીવનને પલટાવવાને મને આવી મળે છે તે મારે વગર ગભરાયે તેમને પગલે પગલે ચાલી જ્ઞાનીની આજ્ઞામાં લક્ષ રાખવા અત્યંત પુરુષાર્થ કર્તવ્ય છે એ દઢ સંકલ્પ કરે ઘટે છે. આત્મકલ્યાણનું પરમ સાધન સત્સંગ છે એમ દઢ નિશ્ચય કરી તેની ભાવના રાખી, પ્રત્યક્ષ સત્પરુષ શ્રી પરમકૃપાળુદેવનાં વચનેને પ્રત્યક્ષ સત્પરુષતુલ્ય જાણી તેનું શ્રવણ, વાંચન, મનન, નિદિધ્યાસન કરવું, સત્સંગે થયેલી આજ્ઞા આરાધવી અને સમાધિમરણની તૈયારી કરાવવા જ આ વેદના આવી છે એમ માની જાગ્રત જાગ્રત રહેવાની જરૂર છે. સમભાવ, પરમકૃપાળુ પ્રત્યે પરમ પ્રેમ અને શક્તિ ગોપવ્યા સિવાય બને તેટલી ખેંચ રાખીને મંત્રસ્મરણ “સહજાન્મસ્વરૂપ પરમગુરુ”નું રટણ હદયમાં રહ્યા કરે એવી દાઝ રાખવા ભલામણ છેજ. “કઈ પણ કારણે આ સંસારમાં લેશિત થવા યોગ્ય નથી. સર્વ પ્રકારે જ્ઞાનીને શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને, નિઃખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થકર જેવાએ કહી છે અને અમે પણ એ જ કહીએ છીએ.”(૪૬૦) એ પરમકૃપાળુદેવની શિક્ષા લક્ષમાં લેશે. શાંતિમાં રહેશે અને બીજા બધાને ગભરાવાનું કારણ ન બને તે ઉપયોગ રાખી પરમપ્રેમપ્રવાહ પરમકૃપાળુદેવ પ્રત્યે નિષ્કામપણે વહે તેમ વર્તશે. ૩% શાંતિઃ