________________
(૧૮૮) હિત કરવામાં નિમિત્તભૂત છે, તે કદી જીવનું અહિત કરતા નથી, માટે તેમને અવિસંવાદી નિમિત્ત કહ્યા
છે. તે સહજ સમજી શકાય તેવું છેજી. (બી-૩, પૃ. ૨૭૦, આંક ૨૬૩) 0 શ્રી દેવચંદ્રજીકૃત ચોવીસી, સ્વામીપ્રભ ભગવાનનું સ્તવન :
નમિ નમિ નમિ નમિ વનવું, સુગુણ સ્વામી જિણંદ નાથ રે,
જોય સકળ જાણંગ તુમે, પ્રભુજી જ્ઞાનદિણંદ નાથ રે. નમિ. ૧ અત્યંત નમ્રભાવે વારંવાર શ્રી સ્વામીપ્રભ સર્વજ્ઞ ભગવંત, ગતચોવીસીના અગિયારમા તીર્થકરને વંદન કરી, શ્રી દેવચંદ્રજી મહારાજ (આપણી વતી) વિનંતી કરે છે : હે સર્વજ્ઞ સ્વામીજી ! આપ તો કેવળજ્ઞાનરૂપી સૂર્યના પ્રકાશમાં સર્વ જાણી શકાય તેવા પદાર્થોને જાણી રહ્યા છો, તો મારા અંતરની વાત આપનાથી છૂપી કેવી રીતે રહે? એટલે વગર કહ્યું મારી વાત જાણો છો, છતાં પૂછું છું કે :
વર્તમાન એ જીવની, એવી પરિણતિ કેમ નાથ રે,
જાણું હેય વિભાવને, પિણ નવિ છૂટે પ્રેમ નાથ રે. નમિ. ૨ અત્યારે આ જીવની આવી અશુદ્ધપરિણતિ, સંસારભાવમાં જીવ પરિણમે છે. તેનું શું કારણ છે ? વિભાવ માત્ર તજવા યોગ્ય છે, એમ જાણું છું, પણ તેમાંથી પ્રીતિ કેમ ઊઠી જતી નથી?
પરપરિણતિરસ રંગતા, પર ગ્રાહકતા ભાવ નાથ રે;
પર કરતા પર ભોગતા, શ્યો થયો એહ સ્વભાવ નાથ રે. નમિ. ૩ જીવનો પ્રેમ શામાં છે તે કહી બતાવે છે. શુદ્ધ આત્મા સિવાયના બીજા પરપદાર્થો અને વિભાવો પ્રત્યે જીવ પરિણમી જાય છે અને તેમાં રાચે છે; પરને ગ્રહણ કરવાના ભાવ રાખે છે; પરવસ્તુનો કર્તા અને પરદ્રવ્યનો ભોક્તા બની, પોતાના શુદ્ધભાવનું કર્તાપણું, ભોક્તાપણું ભૂલી રહ્યો છે, એવો સ્વભાવ જીવને પડી ગયો છે, તે સમજાતું નથી.
વિષય કષાય અશુદ્ધતા, ન ઘટે એ નિરધાર નાથ રે;
તોપણ વિંછુ તેહને, કિમ તરીએ સંસાર નાથ રે. નમિ. ૪ રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ - આ પાંચ વિષયો અને તેને નિમિત્તે જીવમાં ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા અને ત્રણે વેદરૂપ કષાય-નોકષાય વડે જીવ મેલો થઈ રહ્યો છે. તે જીવની શોભા નથી. એને એમ કરવું તદ્દન ગેરવાજબી છે. તેમ છતાં તે પુગલની એંઠને ઇચ્છે તો જીવની શુદ્ધતારૂપ મોક્ષની પ્રાપ્તિ અને મલિનતારૂપ સંસારનો નાશ કેમ થાય ? એવી ભગવંત આગળ, તે દોષ જવા અને શુદ્ધભાવ પ્રાપ્ત થવા, વિનંતી કરી છેજી. આણા આરાધન વિના, કિમ
ગુણસિદ્ધિ થાય?” (બી-૩, પૃ.૫૮૨, આંક ૬૬૦) D શ્રી દેવચંદ્રજીકૃત ચોવીસી, શ્રી નમિથર જિન સ્તવન
બંધના હેતુ જે છે પાપસ્થાન જો,
તે તુજ ભગતે પામ્યા પુષ્ટ પ્રશસ્તતા રે લો. ભગવાનની ભક્તિ જેના દ્ધયમાં છે, તેને પાપ પણ પુણ્યરૂપ થાય છે, એટલે પ્રશસ્તતાને પામે છે. જેમ કોઇ શિકારી પૂછે કે આ બાજુ થઈને હરણ ગયાં છે, તે કઈ બાજુ ગયાં ? તો પેલો પુરુષ