________________
(૭૩૯) સપુરુષાર્થમાં મંડયા રહે છે'. તો પછી આપણે નિરાંતે સૂવા જેવું શું પ્રાપ્ત કર્યું છે, તે વિચારવા યોગ્ય નથી ?
મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું.'' આ ભાવ, વારંવાર આ મૂઢ જીવે વિચારી, જાગૃતિ વિશેષ આરાધવા યોગ્ય છેજી. (બી-૩, પૃ.૪૨૦, આંક ૪૨૭) | મરણનું આવવું અવશ્ય છે, પણ તે અનિયત હોવાથી, તેની તૈયારી, વિચારવાન જીવે કરતા રહેવી ઘટે
છે. પરમકૃપાળુદેવનું શરણ દૃઢતાપૂર્વક આ ભવમાં રહે તો તે બની શકે તેમ છેજી. (બી-૩, પૃ.૪૮૮, આંક પ૨૧) અમુક નિત્યનિયમ વગેરે ન બને તો તેનો ખેદ કર્તવ્ય નથી. બધું કરીને પરમકૃપાળુદેવના સZરણમાં અર્પણતા થાય, તેને જ આશરે આ દેહ છોડવો છે, છેલ્લા શ્વાસે પણ ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ'' મંત્રની ભાવના દયમાં રહે; તેના ઉત્તમ સ્વરૂપમાં તન્મયતા, નિઃશંકતા, નિર્ભયતા અને નિઃસંગતા અભેદભાવ રહે, એ જ અંતિમ કર્તવ્ય છેજી. પરમકૃપાળુ પરમપુરુષનું સ્વરૂપ એ જ મારું સ્વરૂપ, એથી જે કંઈ ભિન્ન વ્યાધિરૂપ, સ્નેહરૂપ, સ્મરણરૂપ, ખેદરૂપ કે અન્યથા હો તેનો મન-વચન-કાયાથી ત્રિકાળ ત્યાગ હો ! “તુંહિ તૃહિ'ની લય લગાડવાની છે. (બો-૩, પૃ.૪૪૫, આંક ૪૬૩) 0 પૂ. ...એ તો મનમાં એવો નિશ્ચય કરવો ઘટે છે કે જાણે આ દેહ છૂટી ગયો છે અને મફતનું આયુષ્ય મળ્યું છે, તે માત્ર આત્મહિત થાય તેમ જ ગાળવું છે. મરણ સંબંધી પણ કંઈ વિકલ્પ કરવા યોગ્ય નથીજી. જીવવાનું હશે ત્યાં સુધી ભક્તિભાવ અર્થે જીવવું છે અને આ દેહ નહીં હોય કે છૂટી જશે ત્યારે પરમકૃપાળુદેવના શરણે દેહ છોડવાથી જીવનું ભલું જ થવાનું છે; એવો વૃઢ વિશ્વાસ રાખવાની જરૂર છે. તેથી કંઈ સંકલ્પ-વિકલ્પ કે ફિકર-ચિંતાનું કારણ રહેશે નહીંછ. દેહ તો અનંતવાર જીવે ધારણ કર્યા અને અનંતવાર છોડ્યા, પણ આ ભવમાં જે પરમકૃપાળુદેવનું શરણ પ્રાપ્ત થયું છે તે સહિત, તે પુરુષને આશ્રયે આ દેહ છોડવાનો અવસર આવી લાગ્યો છે, તો ગભરાયા વિના જેમ આશ્રમમાંથી સદાપુર ગયા, તેમ સદ્ગુરુશરણે જ્યાં નિર્માણ હશે ત્યાં જવું છે; એવું મનમાં વૃઢ કરી રાખવું. જેનું ભલું થવાનું હોય, તેને ફિકર શાની હોય? માટે નિશ્ચિતપણે, સંક્લેશ વિના, સદ્ગુરુશરણે બુદ્ધિ રાખી, સ્મરણમાં મન રહે અને સપુરુષની સ્મૃતિ, દર્શન-ભાવના, શ્રવણ વગેરે ક્ય કરવા યોગ્ય છેજી. સદ્ગુરુપ્રસાદ'માંથી ચિત્રપટનાં, વારંવાર દર્શન કરાવવા તથા સ્મરણ, ભક્તિ, શ્રવણ, ભજનમાં તેનું ચિત્ત રહે તેવી ગોઠવણ કરવા, આપ સર્વને વિનંતી છેજી. (બો-૩, પૃ.૪૭૧, આંક ૪૯૮).
ધર્મીને મૃત્યુ મિત્ર છે, ઉતારે દેહભાર;
વિસામો આપે વળી, યદિ હોય અવતાર. પૂ. ....ના દેહોત્સર્ગના સમાચાર સાંભળી ખેદ થાય છે કે આમ મનુષ્ય આયુષ્ય અચાનક પૂરું થતાં, સર્વ છોડી ચાલ્યા જવું પડે છે; પણ સત્પષના આશ્રયે જેનો દેહ છૂટે છે, તેને સપુરુષની કૃપાએ સન્માર્ગનાં નિમિત્તો મળી રહે છે. (બો-૩, પૃ.૯૦, આંક ૮૧)