________________
(૨૪૨)
બનાવે છે.જી. તેની અસર ક ઉપર કેવી થાય છે, તેનું બહુ સૂક્ષ્મ વર્ણન શાસ્ત્રોમાં છે. તેના સારરૂપ : પહેલા અંતર્મુહૂર્ત કાળ સુધી અધઃકરણ કે યથાપ્રવૃત્તિકરણ હોય ત્યારે ચાર આવશ્યક (જરૂરની ક્રિયા) બને છે. (૧) સમયે-સમયે અનંતગુણી વિશુદ્ધતા હોય; (૨) એક-એક સૂક્ષ્મ, અંતર્મુહૂર્તે નવા બંધની સ્થિતિ ઘટતી જાય, તે સ્થિતિબંધ-અપસરણ આવશ્યક થાય; (૩) સમયે-સમયે પ્રશસ્ત પ્રકૃતિનો રસ અનંતગુણો વધે અને (૪) સમયે-સમયે અપ્રશસ્ત પ્રકૃતિઓનો અનુભાગ(રસ)બંધ અનંતમાં ભાગે થાય; એવાં ચાર આવશ્યક થાય. તે પછી અપૂર્વકરણ (કદી નહીં થયેલાં તેવાં મંદમોહવાળા પરિણામ) થાય છે. તેનો કાળ, યથાપ્રવૃત્તિના કાળનો સંખ્યાતમો ભાગ છે. તેમાં એક વધારાનું આવશ્યક થાય છે : એક-એક અંતર્મુહૂર્તે સત્તામાંના પૂર્વકર્મની સ્થિતિ ઘટાડે તે સ્થિતિકડક ઘાત છે; તેથી નાના એક-એક અંતર્મુહૂર્ત પૂર્વકર્મનો રસ (અનુભાગ) ઘટાડે તે અનુભાગકાંડક ઘાત છે; ગુણશ્રેણીના કાળમાં ક્રમે અસંખ્યાતાનુણા પ્રમાણપૂર્વક કર્મ નિર્જરાને યોગ્ય બનાવે છે, તે ગુણશ્રેણી નિર્જરા છે. આ અપૂર્વકરણ પછી અનિવૃત્તિકરણ થાય છે, તેનો કાળ અપૂર્વકરણના કાળથી અસંખ્યાતમા ભાગે જાણવો. તેમાં ઉપર કહેલાં આવશ્યક સહિત થોડો કાળ ગયા પછી અનિવૃત્તિકરણ કરે છે. અનિવૃત્તિકરણના કાળ પછી એક મુહૂર્તમાં (બે ઘડીમાં) ઉદય આવવા યોગ્ય મિથ્યાત્વકર્મનો અભાવ કરે છે, એટલે તે કર્મની સ્થિતિને આઘીપાછી કરે છે, એટલે બે ઘડી સુધી મિથ્યાત્વ ઉદયમાં ન આવે, આંતરો પડે તેવું કરે તેને અંતરકરણ ક્રિયા કહે છે. પછી ઉપશામકરણ કરે છે, ઇત્યાદિ ક્રિયાથી બે ઘડી સુધી મિથ્યાત્વ ઉદયમાં ન આવે તેવું બન્યું, તે પ્રથમ ઉપશમ-સમ્યકત્વ કાળ છે. પત્રાંક પ૭૦માં પરમકૃપાળુદેવે માત્ર જરૂરના ઉપાય જણાવ્યા છે. તે કર્યાથી ઉપર જણાવેલી, ભગવાને દિઠેલી બધી ક્રિયાઓ, આપોઆપ થયા કરે છે. આ પત્રમાં પરમકૃપાળુદેવ લખે છે : “અનિત્ય પદાર્થ (દહાદિ) પ્રત્યે મોહબુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, અને અવ્યાબાધ સમાધિસુખ ભાનમાં આવતું નથી. તેની મોહબુદ્ધિમાં જીવને અનાદિથી એવું એકાગ્રપણું ચાલ્યું આવે છે, કે તેનો વિવેક કરતાં કરતાં જીવને મૂંઝાઈને પાછું વળવું પડે છે, અને તે મોહગ્રંથિ છેદવાનો વખત આવવા પહેલાં તે વિવેક છોડી દેવાનો યોગ પૂર્વકાળે ઘણી વાર બન્યો છે, કેમકે જેનો અનાદિકાળથી અભ્યાસ છે તે, અત્યંત પુરુષાર્થ વિના, અલ્પકાળમાં છોડી શકાય નહીં. માટે ફરી ફરી સત્સંગ, સાસ્ત્ર અને પોતામાં સરળ વિચારદશા કરી તે વિષયમાં વિશેષ શ્રમ લેવો યોગ્ય છે, કે જેના પરિણામમાં નિત્ય શાશ્વત સુખસ્વરૂપ એવું આત્મજ્ઞાન થઇ સ્વરૂપ આવિર્ભાવ (પ્રગટ) થાય છે. એમાં પ્રથમથી ઉત્પન્ન થતા સંશય ધીરજથી અને વિચારથી શાંત થાય છે. અધીરજથી અથવા આડી કલ્પના કરવાથી માત્ર જીવને પોતાના હિતનો ત્યાગ કરવાનો વખત આવે છે, અને અનિત્ય પદાર્થનો રાગ (ક્ષોભ) રહેવાથી તેના કારણે ફરી ફરી સંસારપરિભ્રમણનો યોગ રહ્યા કરે છે.'' પત્રાંક પરચમાં પરમકૃપાળુદેવ લખે છે : “ “જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થયે તથા પ્રકારે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ મોળાં પડવાનો પ્રકાર બનવા યોગ્ય છે, કે જેમ બની અનુક્રમે તે પરિક્ષીણપણાને પામે છે.'