________________
શ્રી ભગવતી ઉપામ ૌતમ : હે ભગવન્ ! નારકીના નેરિયાઓમાં ૧. @ સત્કાર, ૨ સન્માન, ૩ કૃતિકર્મ, ૪ અભ્યથાન, ૫ અંજલિકરણ, ૬ આસનાભિગ્રહ, ૭ આસનાનપ્રદાન ૮ સન્મુખ જવું, ૯ સેવા કરવી, ૧૦. મૂકવા જવું-એ વિનય છે?
મહાવીરઃ હે ગૌતમ! નેરિયાઓમાં સત્કાર આદિ વિનય
નથી.
એ રીતે પાંચ સ્થાવર, ત્રણ વિકલૅટ્રિમાં કહેવું. તિર્યંચ પચંદ્રિયમાં આઠ પ્રકારને વિનય (આસનાભિગ્રહ અને આસનાનપ્રદાન એ બે છેડીને) હોય છે. મનુષ્ય અને ૧૩ દંડક દેવતામાં દશ પ્રકારના વિનય હોય છે.
ગૌતમઃ હે ભગવન ! અલ્પઝદ્ધિવાળા દેવ મહાત્રાદ્ધિવાળા દેવ વચ્ચે વચ્ચે થઈને જાય છે?
મહાવીરઃ હે ગૌતમ! જતા નથી.
ગૌતમ હે ભગવન! સમાન અદ્ધિવાળા દેવ સમાનઋદ્ધિવાળા દેવ વચ્ચેવચ્ચે થઈને જાય છે?
@૧ સત્કાર– વિનય કરવા યોગ્ય વ્યક્તિને વિનય કરો. ૨ સન્માન – યથાયોગ્ય સેવા કરવી. ૩ કૃતિકમ – વંદના કરવી.
૪ અભ્યત્થાન:- આદર કરવા યોગ્ય વ્યકિતને જોઇને આસન છોડી ઊભા થવું.
૫ અંજલિકરણ–બંને હાથ જોડવા. ૬ આસનાભિગ્રહ - બેસવા માટે આસનનું આમંત્રણ દેવું ૭ આસનાનપ્રદાન :- આસન લાવી પાથરવું.
૮ સન્મુખ જવું - આદર કરવા યોગ્ય પુરુષને આવતા જોઈ એની સામે જવું.
૯ સેવા કરવી :- બેઠા હોય તો તેની સેવા કરવી. ૧૦ મૂકવા જવું – ઊઠીને જાય તે થોડે દૂર સુધી પહોંચાડવા જવું.