________________
શ્રી ભગવત ઉપક્રમ મહાવીરઃ હે ગૌતમ ! ત્રીસ કહી છે! પાંચ હૈમવત, પાંચ હૈરણ્યવત, પાંચ હરિવર્ષ, પાંચ મ્યુકવર્ષ, પાંચ દેવકુ અને પાંચ ઉત્તરકુર
ગૌતમ? હે ભવન ! એ ત્રીસ અકર્મભૂમિઓમાં ઉત્સર્પિણી અને અવસર્પિણીરૂપ કાળ છે?
મહાવીરઃ હે ગૌતમ! નથી.
ગૌતમઃ હે ભગવન્! પાંચ ભારતમાં અને પાંચ ઐરવામાં ઉત્સર્પિણ અને અવસર્પિણીરૂપ કાળ છે?
મહાવીરઃ હે ગૌતમ! છે.
ગૌતમ: હે ભગવન ! પાંચ મહાવિદેહમાં ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ છે?
મહાવીર : નથી. હે આયુષ્યમાન્ શ્રમણ ! ત્યાં એકરૂપે અવસ્થિત કાળ કહ્યો છે.
- ગૌતમ હે ભગવન્! એ પાંચ મહાવિદેહમાં અરહંત ભગ- 2 વાને પાંચ મહાવ્રતવાળા અને પ્રતિકમણ સહિત ધર્મને ઉપદેશ કરે છે.?
મહાવીરઃ હે ગૌતમ! પાંચ ભારતમાં અને પાંચ ઐરવતેમાં પહેલા અને છેલ્લા એ બે અરહંત ભગવંત પાંચ મહાવ્રતવાળા તથા પ્રતિક્રમણ સહિત ધર્મને ઉપદેશ કરે છે, બાકીના અરહંત ભગવંતે ચાર મહાવ્રતવાળા ધર્મને ઉપદેશ કરે છે; વળી, પાંચ મહાવિદેહમાં પણ અરહંત ભગવંતે ચાર મહાવ્રતવાળા ધર્મને ઉપદેશ કરે છે.
તમ: હે ભગવન! જંબુદ્વિપ નામે દ્વિીપના ભારતવર્ષમાં આ અવસર્પિણીમાં કેટલા તીર્થકરે થયા છે ?
મહાવીરઃ હે ગૌતમ! વીસ તીર્થ કરે થયા છેઃ અષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, સુપ્રભ, સુપાર્શ્વ, શશી-ચંદ્રપ્રભ, પુષ્પદંત-સુવિધિ, શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કંથ, અર, મલ્લિ, મુનિસુવ્રત, નમિ, નેમિ, પાર્થ અને વર્ધમાન.