________________
કળશ-૧૫૪
૩૧
પ્રગટ કરી છે. ઝીણી વાતું, બાપુ ! આ તો પરમેશ્વરના ઘરની વાતું છે ! અત્યારે બધી ગડબડી બહુ થઈ ગઈ. આહા...હા...!
મુમુક્ષુ :- અમારે તો બહુ સરળ થઈ ગયું. ઉત્તર :- વાત સાચી છે. આહા...હા...!
અહીં કહે છે, “સહજ છે. છેલ્લી ભાષા આવી ? “સ્વયં”નો અર્થ ઈ કર્યો. ૧૫૪ ! એવું સહજ છે. સમ્યક્દષ્ટિને પર્યાયમાં ભય નથી એવું સહજ છે. અસ્થિરતાનો જે થોડો ભય આવે એ વાતને અહીં ગણી નથી. દૃષ્ટિના જોરમાં જે પૂર્ણાનંદ ધ્રુવ આત્મા પકડ્યો છે એની પર્યાયમાં તેને ભય નથી. ધ્રુવને પકડ્યો એવી જે પર્યાય – સમ્યગ્દર્શને ધ્રુવને પકડ્યો છે. આ વિદ્યમાન અનાદિઅનંત નિત્યાનંદ અનંત... અનંત... ગુણ રત્નાકરનો ધ્રુવ પિંડ ! એને જેણે અંતરદૃષ્ટિએ સ્વીકાર્યો ઈ વસ્તુમાં (તો ભય) નથી, અહીં તો હવે પર્યાયમાં ભય નથી (એમ કહે છે) ! અહીંયાં નિર્જરા લેવી છે ને ? સમજાણું કાંઈ? ભાઈ ! આવો માર્ગ છે. આહા..હા...!
ભય નથી એટલે ? ગામમાં પ્લેગ ચાલતો હોય અને બાયડી-છોકરા (હેરાન) થતા હોય તો સમ્યક્દૃષ્ટિ પોતે બહાર નીકળી જાય.
મુમુક્ષુ :- અરે..! સૌથી પહેલો ભાગે !
ઉત્તર :- હા, જાણે કે અત્યારે બૈરા-છોકારઓ મૂંઝાય છે અને છોકરાઓ જુવાન છે, છોડિયું, વહુર છે (ઈ) મૂંઝાય છે, ચાલો, ભાઈ ! આપણે ગામ ફેરવી નાખીએ.
મુમુક્ષુ :- એને ભય નથી ! ઉત્તર :- અંદરમાં ભય નથી. મુમુક્ષુ :- અંદરમાં ન હોય તો બહાર આવે ક્યાંથી ?
ઉત્તર :ઈ અસ્થિરતાનો પ્રકૃતિના સંબંધનો થોડો ભય) આવ્યો પણ એ ભયને પરમાર્થે ગણવામાં આવતો નથી. વસ્તુમાં ભય થઈ જાય અને પર્યાયમાં એકપણે ભયપણું આવી જાય તો એને ભય કહેવાય.
મુમુક્ષુ :- શ્રદ્ધા પૂરતું બરાબર છે, ચારિત્ર પૂરતું નથી.
ઉત્તર :- ચારિત્ર પૂરતાની અહીં વાત જ નથી. અહીં તો ચારિત્ર પૂરતાનો જે દોષ આવે છે એને તો દૃષ્ટિના જોરની અપેક્ષાએ નિર્જરા કહેવામાં આવે છે.
પ્રશ્ન :- હોય એની નિર્જરા કે ન હોય એની ?
સમાધાન – છે એની નિર્જરા કહ્યું નહિ ? નિર્જરાની બીજી ગાથા ! નિર્જરાની બીજી ગાથા આવે છે કે, શાતા-અશાતાનું વદન એક સમયમાં છે પણ નિર્જરી જાય છે.
મુમુક્ષુ - નવું કર્મ બંધાતું નથી. ઉત્તર :- બંધાતું નથી, બંધાતું નથી એનો અર્થ કે નિર્જરી જાય છે. અંદર શાતા