________________
કળશ-૧૫૪
સમજાણું કાંઈ ? ઈં છેલ્લે લેશે.
અહીંયાં (કહે છે), (કઈ રીતે છે) ‘નિર્ભયપણું ? એવું સહજ છે.’ જોયું ? આહા..હા...! ભય થાય છે અને ભયથી પાછો ખસે (છે) એમ પણ નહિ, એમ કહે છે. સહજ જ નિર્ભય છે.
૨૯
મુમુક્ષુ = ઈ તો ત્રિકાળી સ્વભાવમાં...
ઉત્તર :- પર્યાયમાં ! પર્યાયમાં સહજ નિર્ભય છે. વસ્તુ તો વસ્તુ છે. આહા..હા...! વસ્તુ તો ત્યાં વસ્તુ વસ્તુને ચાં સ્વીકારે છે ? સ્વીકારે છે તો પર્યાય, અનિત્ય પર્યાય નિત્યને સ્વીકારે છે.
મુમુક્ષુ :
અનિત્ય, નિત્ય બન્નેને સ્વીકારે.
ઉત્તર :- અનિત્ય નિત્યને સ્વીકારે છે. અહીં દૃષ્ટિ છે ને ? અનિત્યને નહિ. જ્ઞાન થાય એ નિત્ય અને અનિત્ય બન્નેનું (જ્ઞાન) કરે પણ દૃષ્ટિ તો એકલા ત્રિકાળી નિત્યને જ સ્વીકારે છે. આવું છે. વસ્તુનો સ્વભાવ એવો છે.
મુમુક્ષુ :- બહુ ગુંચવાડો લાગે છે.
ઉત્તર :– ગુંચવાડો નીકળી જાય એવું લાગે છે. આહા...હા...! રાગ પણ આવે, વિષયની વાસના પણ હોય, એને અહીં ગણવામાં નથી આવ્યું. એને તો આ બાજુ દૃષ્ટિના વિષયમાં જેનો ઝુકાવ છે એને અશુદ્ધતા આવીને ખરી જાય છે એમ સિદ્ધ કરવું છે. પણ એનો અર્થ એવો નથી કે, એને અશુદ્ધતા બિલકુલ ન જ હોય. સમજાણું કાંઈ ?
કાલે પ્રશ્ન આવ્યો હતો ને ? કે, વ્યવહા૨ છે એને માનવો જોઈએ કે નહિ ? માનવો
જોઈએ.
પ્રશ્ન :- માનવો જોઈએ કે જાણવો જોઈએ ?
સમાધાન :- માનવો જોઈએ.
પ્રશ્ન :- બન્ને છે એમ ?
સમાધાન :- હા, છે એમ માનવો જોઈએ. મુમુક્ષુ :એ તો શાનથી...
ઉત્તર :– જ્ઞાન નહિ, શ્રદ્ધાથી માનવો જોઈએ એમ અહીંયાં છે. ઈ બપોરે આવશે. મન્યતે”. વ્યવહાર માને છે.
મુમક્ષુ :– શ્રદ્ધાનો વિષય તો એકલો ત્રિકાળી આત્મા છે.
ઉત્તર :- ઈ વસ્તુ જુદી વાત છે પણ જ્ઞાન એમ કરીને માને છે કે આ છે. વ્યવહાર છે એમ માને છે ઈ વાત બપોરે આવશે. પહેલા આવી ગઈ હતી, પહેલો કળશ આવી ગયો હતો. વ્યવહારે વ્યવહા૨ મોક્ષમાર્ગ સ્થાપ્યો છે. છે, પણ છે હેય.
પ્રશ્ન :- ઈ પરદ્રવ્ય છે ?