Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
આ મારા-તમારા આવશ્યકો નથી, ગણધરોના છે. चिन्ताभावनापूर्वकः स्थिराध्यवसायः ध्यानम् ।
ધ્યાનવિચાર.
-
ધ્યાનના ભેદો માત્ર અમુક જ નથી, જેટલી જેટલી મનની અવસ્થાઓ છે તેટલા ધ્યાનના પ્રકારો છે.
ધ્યાન વિના કેવળજ્ઞાન ન મળે.
ધ્યાનને સિદ્ધ કરવો છે, એવો સંકલ્પ કરીને જ અહીં આવજો.
ભૂમિકામાં જ ટાઈમ ન જાય માટે હું ટૂંકમાં કહેવા માંગું છું. પૂજ્ય યશોવિજયસૂરિજી ઃ પ્રકાશો, કાંઈ વાંધો નથી. પૂજ્યશ્રી : પહોંચવું છે પ્રભુ પાસે. પ્રભુ પાસે પહોંચવા સમતા જોઈએ. સમતા મેળવવી હોય તો ચઉવિસત્થો, ૨૪ તીર્થંકરોને પકડો.
સામાયિક પછી ચઉવિસત્થો આવશ્યક છે. આ ક્રમ ભગવાનની હાજરીમાં ગણધરોએ ગોઠવેલો છે, તેનો ખ્યાલ છે ને ?
૨૪ તીર્થંકરોને જે નમે, તેમનું જે કીર્તન કરે તેની જ સાધના સફળ બને, એની પાછળનું આ રહસ્ય છે.
માત્ર આપણા પુરુષાર્થથી આ સમતા ન જ મળે. એ જ સમજવાનું છે.
સામાયિક-સમતા સાધ્ય છે.
જીવનભર મહેનત કરીશું ત્યારે આ મળશે.
શ્રુત, સમ્યક્ અને ચારિત્ર સામાયિકના આ ત્રણ પ્રકારો છે. આ કોણ આપે ? ધર્મ.
દેવ દર્શન, ગુરુ જ્ઞાન અને ધર્મ ચારિત્ર આપે. સામાયિક ચારિત્રરૂપ છે.
ચવિસત્થોમાટે લોગસ્સ છે. એ પર એક પુસ્તક બહાર પડ્યું છે. વાંચશો તો સમજાશે.
ચવિસત્થોને લાવવા વાંદણા વગેરે આવશ્યક જોઈએ. કોઈ ન હોવા છતાં વાપરતાં પહેલા વાપરું’ બોલવાની આદત છે. પૂ. કનક-દેવેન્દ્રસૂરિજીનું જોઈને અમે
કહે, કલાપૂર્ણસૂરિ-૪ * *
** ૨૫