Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
જયઘોષસૂરિજીને બાલમુનિ તરીકે ખૂબ જ સારી રીતે સાચવેલા.
૯-૯ મુનિઓને શતાવધાની બનાવ્યા પછી તરત જ કહી દીધું : સાર્વજનિક રૂપે આ પ્રયોગ બંધ કરવા.
મુનિઓને પ્રસિદ્ધિના નહિ, સિદ્ધિના શિખરે તેઓ ચડાવવા માંગતા હતા.
તમને ખ્યાલ નહિ હોય : ગુરુની કઠોરતામાં કોમળતાના દર્શન શિષ્ય શી રીતે કરે ?
દયાનંદના ગુરુ હતા : વીરજાનંદ. બહુ જ ક્રોધી. ગુરુના ક્રોધને પુણ્ય પ્રકોપ કહેવાય.
દયાનંદનો આશ્રમ સાફ કરવાનો વારો હતો.
વીરજાનંદે જોયું : એક રૂમમાં કચરો થોડોક પડેલો હતો. ગુરુએ દયાનંદને બરડામાં સાવરણીથી ઢીબી નાખ્યો. ૧૬ દિવસ સુધી ચકામા બતાવીને દયાનંદ કહેતો : જોયું ? આ ગુરુની પ્રસાદી છે.
ચંડરુદ્રાચાર્ય જેવા ગુરુ ન મળ્યા, એનું કેટલું દર્દ આપણને છે ?
ચંદના જેવા ગુરુ ન મળ્યા, એનું કેટલું દર્દ આપણને છે?
પૂ. પ્રેમસૂરિજી અનન્ય શિલ્પી હતા - સાધના-જગતના.
કર્મકાંડી, ધ્યાનીઓ, યોગીઓ, માંત્રિકો, પ્રવચનકારો વગેરે તેમણે આપ્યા છે.
પિંડવાડા ધન્ય બની ગયું છે, એમના જન્મથી. સદ્ગુરુ તરીકે બહુ ઉચ્ચ વ્યક્તિ હતા.
પૂ. પ્રેમસૂરિજી પાસે મેં જોયું છે : કોઈ સાધક એમની પાસે આવતાં તેઓ સમજી જતા : ૧૦-૧૫ જન્મથી આ સાધક કઈ ધારામાં વહેતો આવ્યો છે ? સ્વાધ્યાય, વેયાવચ્ચ, ભક્તિ. જે ધારા હોય તેમાં વહેવડાવી દે.
એમનું ત્રીજું નેત્ર જાગૃત હતું. તેઓ એ દ્વારા સાધકને ઓળખી લેતા ને એની દિશામાં દોડાવતા.
આ જન્મ સાધનામાં દોડવા માટે જ મળ્યું છે.
આ રીતે સેંકડો સાધકોને તૈયાર કર્યા છે. પરંપરાએ તો કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * *
* * * * * * * * * – ૩૧૫