Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
તેમની કૃપાથી ગૃહસ્થો, ડૉકટરો, વકીલો વગેરે પણ આગળ વધ્યા છે.
100 વર્ષમાં તેમના થકી સંયમ-દાનનો જે પુરુષાર્થ થયો તે બેજોડ છે. તેમણે આજ સુધી કેટલા સાધુ આપ્યા ? ૮૪ વર્ષમાં કેટલા સાધુ આપ્યા ? જરા ગણત્રી કરી લેજો.
પૂ. પ્રેમસૂરિજી ન મળ્યા હોત તો મારા જેવાને કદી દીક્ષા ન મળત. રમણલાલ, દલસુખ, જીવાભાઈ જવાઓ પણ ત્યારે મને દીક્ષા આપવા તૈયાર ન્હોતા.
છેલ્લે તેમણે પોતાના નામના સ્મારક કે મંદિર બનાવવાની ના પાડેલી. સાધુઓ એ જ મારા સ્મારક છે, એમ તેઓ કહેતા.
@g
કહ્યું કલાપૂર્ણસૂરિએ’ ચોપડી મલી, ચોપડીને હાથમાં લેતાં જ તેની આકર્ષક સજાવટ અને વિશેષ તો સચોટ, સરળ, ગંભીર, અલૌકિક લેખન - શ્રેણિ જોઈને આખું ય પુસ્તક એક જ વારમાં વાંચી નાંખવાનું મન થઈ જાય છે.
પૂ. આચાર્યદેવની વાચના-વ્યાખ્યાનો વગેરેનો અદ્દભુત સાર, આપશ્રીએ જે આપની આગવી કોઠાસૂઝથી લખ્યો છે તે ઘણો જ અદ્દભુત અપ્રતિમ છે. આપનું આ પુસ્તક મિલેનીયમ રેકોર્ડ નોંધાવે એ જ અમારી શુભેચ્છા.
- જતિન, નિકુંજ
વડોદરા
કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * *
*
*
*
=
=
=
=
=
=
*
*
* * ૩૨૫