Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
મુનિશ્રી કલાપૂર્ણવિજયજી (અક્ષયરાજ)ને એ વાતનો પાકો ખ્યાલ હતો કે દીક્ષા એ પૂર્ણાહુતિ નથી, પણ પ્રારંભ છે. એ ટોચ નથી, પણ ટોચ પર જવાની પગદંડી છે. ઘણા એમ માનતા હોય છે કે દીક્ષા લીધી એટલે પતી ગયું, હવે કાંઈ કરવાનું નહિ, પણ આ વાત બરાબર નથી. દીક્ષામાં પ્રવેશ એટલે કે સાધનામાં પ્રવેશ.
દીક્ષાનું જીવન એટલે કે વિદ્યાર્થીનું જીવન.
દીક્ષિત મુનિ એટલે સાધના માર્ગે દિન-પ્રતિદિન આગળ વધતો સાધક આત્મા !
દિવસે દિવસે એ પ્રગતિ કરતો જ રહે. ગુણનું અર્જન અને દોષનું વિસર્જન કરતો જ રહે. એક પણ દિવસ વિકાસની પ્રાપ્તિ સિવાયનો ન હોય.
જે આગળ વધવાની ભાવના રાખતો નથી તે પાછળ પડ્યા વિના રહેતો નથી. આથી જ શ્રાવકોએ સાધુ બનવાની અને સાધુઓએ સિદ્ધ બનવાની ભાવના રાખવાનું કહ્યું છે.
મુનિશ્રી કલાપૂર્ણવિજયજી મ.ને પહેલેથી જ સાધનાનું લક્ષ્ય હતું અને તે સાધનાએ સાધુતાના સ્વીકાર પછી અત્યંત વેગ પકડ્યો.
સાધક આત્માને સાધનાને અનુકૂળ વાતાવરણ સામગ્રી વગેરે મળી જ જાય છે. જોઈએ ફક્ત સાધકની સાચી પાત્રતા અને જિજ્ઞાસા.
પ્રભુ-ભક્ત અને શ્રત-ભક્ત મુનિશ્રી :
સાધુ-જીવનને યોગ્ય કેટલુંક પ્રાથમિક જ્ઞાન મેળવવા સાથે મુનિશ્રી કલાપૂર્ણવિજયજીએ સંસ્કૃત બુક, કર્મગ્રન્થ આદિનો અભ્યાસ શરૂ કર્યો.
જીવનમાં સહજ રીતે વણાયેલા દેવ-ગુરુ-ભક્તિ, વિનય, વેયાવચ્ચ અને ક્ષમાદિ ગુણો પણ શુકલ પક્ષની ચન્દ્ર-કળાની પેઠે વિકસિત થવા લાગ્યા.
પૂજય મુનિશ્રીએ બે ચીજમાં ખાસ રસ કેળવ્યો. એક બાળપણથી જ પોતાને ગમતી ભગવાનની ભક્તિનો રસ અને બીજો ભણવાનો રસ.
૩૯૪
* * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪