Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal

View full book text
Previous | Next

Page 391
________________ દ્વાદશાંગીના આધારે ચાલે છે. દ્વાદશાંગીને ટકાવવા જ બાર વર્ષના બબ્બે દુકાળ પછી જૈન શ્રમણ-સંમેલનો ગોઠવાયા હતા. દ્વાદશાંગીને ટકાવવા જ મથુરા અને વલભીપુરમાં વાચનાઓ ગોઠવાઈ હતી. દ્વાદશાંગીને ટકાવવા જ દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણે સંપૂર્ણ આગમ ગ્રન્થોને પુસ્તકો પર લખાવ્યા હતા. એ પહેલા બધા આગમો મુખપાઠથી જ ચાલતા. ભગવાન મહાવીરના નિર્વાણ પછી દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણે જોયું કે હવે એવી પ્રજ્ઞા નથી રહી કે સાંભળીને મુનિઓ યાદ રાખી શકે. સમયનો એ તકાજો છે કે આગમોને પુસ્તકો પર એ લખવામાં આવે. જો આ રીતે નહિ કરવામાં આવે તો ભગવાનની વાણીનો આ અમૂલ્ય વારસો નષ્ટ-ભ્રષ્ટ થઈ જશે. પોતાની આગવી સૂઝથી દેવદ્ધિગણિએ આગમોને પુસ્તકારૂઢ બનાવી મહાન યુગપ્રવર્તક કામ કર્યું. જેની નોંધ આજે પણ કલ્પસૂત્રના અંતે લેવામાં આવે છે. આગમોના રહસ્યો બરાબર સમજાવવા જ આગમપુરુષ શ્રી હરિભદ્રસૂરિજીએ ૧૪૪૪ ગ્રન્થોની રચના કરી. આગમોના દુર્બોધ પદાર્થોને સરળ બનાવવા જ શીલાંકાચાર્ય તથા અભયદેવસૂરિજીએ તે પર ટીકાઓ રચી. આગમોના ઉપનિષદ્રને પામવા જ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિજીએ સાડા ત્રણ ક્રોડ શ્લોકોની રચના કરી, આગમોના પદાર્થોને નવ્યન્યાયની શૈલીમાં ઊતારવા જ ઉપા. યશોવિજયજીએ એકલે હાથે અનેક ગ્રન્થો રચ્યા. અલગ-અલગ મહાત્માઓએ અલગઅલગ ચરિત્ર ગ્રન્થો, પ્રકરણ ગ્રન્થો કે ગુજરાતી પણ કોઈ સાહિત્ય રચ્યું તે પણ આગમ તરફ જવા માટે જ. આગમોને સુલભ બનાવવા જ પૂ. સાગરજી મહારાજે તેને સંશોધિત-સંપાદિત કરી મુદ્રિત બનાવ્યા. આગમો આપણો અમૂલ્ય વારસો છે. એના એકેક અક્ષરો મંત્રાક્ષરથી પણ અધિક છે. એનો એકેક અક્ષરદેવાધિષ્ઠિત છે. આવા પવિત્ર આગમો વિધિપૂર્વક ગ્રહણ કરવામાં આવે તો જ ફળદાયી બને છે. ગૃહસ્થો તો માત્ર તેના શ્રવણના જ અધિકારી છે. સાધુઓ પણ તેના યોગોઠહન કર્યા પછી જ અધિકારી બને છે. શ્રાવકોને કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૩૫૯

Loading...

Page Navigation
1 ... 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452