Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal

View full book text
Previous | Next

Page 415
________________ જાણે હરણના પૂંછડે બેસીને દોડી રહ્યા છે. હમણાં જ હજુ હું નાનો હતો. માતા-પિતાના ખોળામાં આળોટતો હતો. આજે યુવાન છું. આવતી કાલે વૃદ્ધ બની જઈશ. બસ આમને આમ જિંદગી પૂરી થઈ જશે ? ધર્મ વગરની જિંદગીનો અર્થ શો છે ? એમ તો કાગડા અને કુતરા પણ ક્યાં નથી જીવતા ? એ પણ ક્યાં પેટ નથી ભરતા ? શું ખાવું-પીવું અને મજા કરવી એ જ જિંદગી છે ? જો એમ જ હોય તો પશુઓને માણસ કરતાં શ્રેષ્ઠ માનવા પડશે. માણસનો મહિમા શાના કારણે છે ? ખરેખર ધર્મથી જ માણસ માણસ બને છે, બડભાગી બને છે. જેનામાં ધર્મ નથી તે માણસ નથી, પણ પૂંછડા અને શીંગડા વગરનો પશુ છે પશુ. પશુતા ભરી જિંદગીઓ ઘણી વખત જીવ્યા. હવે આ જન્મમાં તો એવું નથી જ કરવું. આ જન્મમાં તો અવશ્ય દિવ્યતા પ્રગટાવવી જ છે. એમને એમ ખાલી હાથે અહીંથી જવું નથી. કંઈક લઈને જ જવું છે. મૃત્યુ વખતે હૃદયમાં સંતોષ હોય, આત્માને તૃમિ હોય એવું કાંઈક કરીને જ જવું છે. બ્રહ્મચર્યવ્રત ધારણ કરતા અક્ષયરાજ : આમ અક્ષયરાજના હૃદયમાં વિચારનો સ્ફલિંગ પ્રગટી ઊઠ્યો. એ વિચારને વિચારરૂપે ન રાખતાં આચારમાં પણ લાવી દીધો. તે જ વર્ષે (વિ.સં. ૨૦૦૭) પૂજ્યશ્રી રૂપ વિજયજી મ.સા. પાસે આજીવન બ્રહ્મચર્ય વ્રત સ્વીકારી લીધું. અને સંસારથી મન વાળી લીધું. એટલું જ નહિ, પણ સાધનાના માર્ગે આગળ વધવા કમર કસી. શરીરને કેળવવા ધ્યાનમાં નિર્મળતા લાવવા પૂ. શ્રી રૂપ વિ.મ.ના (વિ.સં. ૨૦૦૭) ચાતુર્માસ દરમ્યાન ૧૬ ઉપવાસની તપશ્ચર્યા આદરી. અક્ષયરાજ વૈરાગ્યની વાટે : તપશ્ચર્યા સાથે ભક્તિમાં લીનતા, કાયોત્સર્ગ, જાપ, આગમસારાદિ ગ્રન્થોનું વાંચન વગેરે ભળતાં અક્ષયરાજનો વૈરાગ્યનો દીપક દાવાનળ બનીને ભભૂકી ઊઠ્યો. એનો આતમ-હંસ સંસારના પાંજરામાંથી મુક્તિ મેળવવા તલપી ઊઠ્યો અને પોતાના આત્માને સમજાવવા માંડ્યા : “ઓ * * * * * * * * * * * ૩૮૩

Loading...

Page Navigation
1 ... 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452